જૂનાગઢમાં પેસેન્જર ટ્રેનના એન્જીનમાં ભીષણ આગની ઘટના બની..વેરાવળથી સવારે 4.25 કલાકે ઉપડેલી વેરાવળ-ત્રિવેનદમ રૂટની પેસેન્જર ટ્રેન જ્યારે જુનાગઢના વંથલી પાસેના શાપુર આસપાસ પહોંચી હતી ત્યારે એકાએક ટ્રેનના એક એન્જીનમાં આગ લાગી હતી.
જો કે ટ્રેનના ડ્રાઈવરની નજર પડી જતા તેને સમયસૂચકતા વાપરી તુરંત જૂનાગઢ રેલવે અને ફાયર બીગ્રેડને જાણ કરી દીધી હતી અને ત્યારબાદ આગ ઓલવવામાં આવી હતી. ડ્રાયવરની સમયસૂચકતાના કારણે મોટી જાનહાની ટાળી છે. આ આગ એન્જીનમાં ટેકિનકલ શોર્ટ-સર્કિટથી લાગી હોવાનું માનવામાં આવે છે.