બોલિવૂડના સ્ટાર સંજય દત્તે જાતે કન્ફર્મ કર્યુ છે કે મુન્નાભાઈ સીરિઝની ત્રીજી ફિલ્મ 2018માં રિલીઝ થશે. તેણે જણાવ્યું હતું કે વિધુ વિનોદ ચોપડા સાથે મારી ફિલ્મ નવેમ્બરમાં શરૂ થશે. તે બાદ તે મહેશ માંજરેકર સાથે ફિલ્મ કરવા જઈ રહ્યો છે જે મરાઠી ફિલ્મ દે ધક્કાની રિમેક છે. ત્યારબાદ પણ અન્ય ફિલ્મો કરશે.
સંજયે પોતાના 57મા જન્મદિવસે પત્રકારોને જણાવ્યું હતું કે મુન્નાભાઈ-3 અને દે ધક્કાની રિમેકની રિલીઝને આટલા મોડા થવા અંગે રાજકુમાર હિરાની તથા વિધુ વિનોદ ચોપડાને પૂછવું જોઇએ...