એઇમ્સ હવે દેશની પહેલી એવી હોસ્પિટલ બની ગઇ છે કે જ્યાં એલોપથીની સાથે સાથે યોગ અને આયુર્વેદથી દર્દીઓનો ઉપચાર થશે.
જે અંતર્ગત કેદ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ એઇમ્સમાં સેન્ટર ફોર ઇન્ટિગ્રેટીવ મેડિસિન એન્ડ રિસર્ચની પણ શરૂઆત કરી. અહીં યોગા હોલની સાથે થૈરપી સેન્ટર પણ છે જ્યાં દેશની પ્રાચિન આયુર્વેદકિ ઔષધીઓ દ્વારા દર્દીઓની વધતી બિમારીઓને નિયંત્રીત કરાશે.
એઇમ્સના આ નવા સેન્ટરમાં એક સાથે 30 દર્દીઓ યોગા કરી શકશે. અહીં દર્દીઓને યોગા અને મેડિટેશન માટે તે માહોલ આપવામાં આવશે. જ્યા તેઓ યોગના સહારે પોતાના દર્દ સામે જીત હાંસલ કરવાનો પ્રયાસ કરશે.