RBIની નાણાંકીય નિતી સમીક્ષા IIPના આંકડા અને વિદેશી ફંડ પ્રવાહની સ્થિતીની સીધી અસર શેરબજારના કારોબાર પર જોવા મળી શકે છે. એક સપ્તાહના વેકેશન બાદ શેરબજારમાં નવા સપ્તાહના કારોબાર દરમિયાન ભારે ઉથલપાથલ જોવા મળે તેવી શકયતા છે.બજાર સાથે જોડાયેલા નિષ્ણાંતોના મતે RBI પોલીસી સમીક્ષાની સીધી અસર બજાર પર રહેશે.RBIની નાણાંકીય નિતી સમીક્ષા 7મી એપ્રિલના દિવસે કોઇ ફેરફાર વ્યાજદરમાં કરે તેવી શકયતા નહીંવત છે. RBI રેપો રેટને જાળવી રાખે તેવી શકયતા છે.જયારે 10મી એપ્રિલનાં રોજ IIPના ડેટા રજૂ કરવામાં આવશે.સાથે સાથે બજારને હચમચાવે તેવા પરિબળોમાં ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામો પણ છે. આ પરિણામ આઇટીની મહાકાય કંપની ઇન્ફોસીના પરિણામ સાથે શરૂ થશે. ઇન્ફોસીસ 24મી એપ્રિલના દિવસે તેના પરિણામ જાહેર કરશે. BSE ઈન્ડેકસમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન 2.91 ટકાનો ઉછાળો રહ્યો હતો.