અત્યાર સુધી જાણે કુભકર્ણ નિંદ્રામાં પ્રોઢેલા ખાણખનીજ વિભાગની ઉંઘ ઉડી હોય તેમ લગી રહ્યું છે. સુત્રાપાડા તાલુકાના લાટી કદવાર ગામે જુનાગઢ ખાણખનીજ વિભાગે દરોડા પાડયા. અને 17 થી વધારે કટર મશીન સાથે દોઢ કરોડની ખનીજ ચોરી ઝડપી પાડતા ભૂમાફીયાઓમાં ફફડાટ ફેલાયો છે.
જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લામાં ખાણખનીજ વિભાગ સપાટો બોલાવી રહ્યું છે. ત્યારે સુત્રાપડા તાલુકાના લાટી કદવાર ગામે દરીયા નજીક આવેલી સરકારી જમીનમાં ગેરકાનૂની રીતે ખનીજ કાઢતા ભુમાફીયાઓ પર ખનીજ વિભાગે દરોડા પાડયા. અધિકારીઓએ 17 કટર મશીન સહિત આશરે એકથી દોઢ કરોડની ખનીજ ચોરી પકડી પાડી. ખનીજ અધિકારીઓની અચાનક કાર્યવાહીથી બેફામ બનેલા ભૂમાફિયાઓના ધબકારા પણ વધી ગયા. દરોડાની કાર્યવાહી થતાં જ ભૂમાફિયાઓ અદૃશ્ય થઈ ગયા છે.
અહીં CRZ નિયમ લાગુ પડતો હોવાના કારણે ખનીજ કાઢવા તંત્ર દ્વારા લીઝ આપવામાં આવતી નથી. પરંતુ આ વિસ્તાર પાંચ કિલોમીટર અંતરિયાળ હોવાથી ભૂમાફિયાઓ તેનો લાભ ઉઠાવી લે છે ખનીજ વિભાગના અધીકારીના જણાવ્યા પ્રમાણે સરકારી ગોચરની જમીનમાં વાંરવાર ખનીજ ચોરી થય રહી છે ભુતકાળમાં પણ અહીંથી કટર મશીનો જપ્ત કરાયા હતા. પરંતુ થોડા સમય બાદ ફરીથી ભૂમાફિયાઓ સક્રિય બન્યા. ખનીજ વિભાગના અનુમાન પ્રમાણે એક-એક કટર મશીને રૂપિયા 10 લાખથી વધારે રકમનું ખનીજ કાઢયું છે.
જૂનાગઢમાં છેલ્લા ઘણા સમયથી મોટે પાયે ખનીજ ચોરી થતી રહી છે. અધિકારીઓ પણ આંખ આડા કાન કરતા હોય તેવા આક્ષેપો થાય છે. મોટેભાગે ગ્રામજનો કે જાગૃત નાગરિકો કાર્યવાહી કરે છે. ત્યારે ખાણખનીજ અધિકારીઓ જાણે દેખાવ ખાતર કાર્યવાહી કરતાં હોય તેવી પણ ચર્ચાઓ વહી છે. ત્યારે અચાનક દરોડા પાડીને આ હાલ પૂરતી ખનીજ ચોરી અટકી છે.