કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી મિશન બિહાર હેઠળ આજે બિહાર જશે.સોનિયા બિહારના કિશનગંજમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની શાખાનો શિલાન્યાસ કરશે.સોનિયા સાથે બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર પણ કાર્યક્રમમાં હાજર રહેશે.સોનિયા ગાંધી બપોર બાદ નિર્માણસ્થળ પર પહોંચશે તથા શિલાન્યાસ કાર્યક્રમ બાદ રુઈધારા મૈદાનમાં એક જનસભાને સંબોધન કરશે. કોંગ્રેસના મીડિયા પ્રભારી પ્રેમચંદ્ર મિશ્રાએ જણાવ્યું કે સોનિયા ગાંધી સાથે કેદ્રીય માનવ સંસાધનમંત્રી પલ્લમરાજુ પણ હાજર રહેશે.આશા છે કે આજે એક જ મંચ પરથી સોનિયા ગાંધી અને બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર જનતાને સંબોધન કરશે.મહત્વનું છે કે શિલાન્યાસ સમારોહમાં નીતીશ કુમારને ન બોલાવાતા તેમણે કેદ્ર સરકારની નીંદા કરી હતી.ત્યારબાદ નીતીશને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને હવે તેઓ સોનિયા ગાંધી સાથે હાજર રહેશે.