પાટણના શબ્દલપુર ગામની સરકારી ગૌચરની જમીનને બારોબાર વેચી મારવાનું એક હજાર કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે. કૌભાંડમા કેટલાક મળતિયાઓ સહિત નાયબ મામલતદાર દ્વારા જમીનની ખોટી રીતે લે-વેચ કરાયાના આક્ષેપો થયા છે.
સાંતલપુરના ચારણકા ખાતે રાજય સરકાર દ્વારા સોલાર પ્લાન્ટ બનાવવાની જાહેરાત થતા જ રાધનપુરની આજુબાજુની જમીનોના ભાવો આસમાને પહોંચ્યા છે. જેનો લાભ લઈને કેટલાક લે ભાગુ તત્વોએ પડતર અને ગૌચરની એક જમીન બે-ત્રણ વાર વેચીને એક હજાર કરોડનું કૌભાંડ આચર્યુ હોવાનો પર્દાફાશ થયો છે. રાધનુપરના હરેશભાઈ ઠ[રે પાર્ટી પ્લોટ બનાવવા શબ્દલપુરમાં સર્વેનં.155 અને 156 વાળી જમીન તે જ ગામના ભલાભાઈ જીવાભાઈ ભરવાડ પાસેથી દલાલ મારફતે રૂ. 37.50 લાખમાં ખરીદી હતી. જેનો દસ્તાવેજ પણ ગકુરભાઈ જીવાભાઈ ભરવાડના નામથી કરાયો હતો.
હરેશભાઈએ જમીન ખરીદી તો લીધી પરંતુ બાદમાં ખબર પડી કે 155 અને 156 સર્વે નંબરવાળી જમીન તો સરકારી પડતર અને ગૌચરની છે અને પોતે છેતરાયા છે.. હરેશભાઈને જમીન પધરાવી જનાર ભલાભાઈ જીવાભાઈ ભરવાડ પોતે રાધનપુરના નાયબ મામલતદાર છે. જેઓએ સત્તાના જોરે ગૌચરની જમીનના સર્વેનંબરોમાં ફેરફાર કરીને કરોડોના જમીન કૌભાંડ કરી રહ્યા છે.. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાથી હરેશભાઈ ભલાભાઈ દલાલ અને ગકુરભાઈ વિરુદ્ધ ફરિયાદ નોધાવવા ગયા હતા. પરંતુ પોલીસે ફરિયાદ લેવાનો રીતસરનો ઈનકાર કરી દીધો. ન્યાય મેળવવા હરેશભાઈએ રાધનપુર કોર્ટનો સહારો લીધો અને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને તપાસની માગ કરી.
જમીન કૌભાંડ મામલે હરેશભાઈએ જિલ્લા કલેક્ટરે ફરિયાદ કરી હતી. જો કે કલેક્ટરે તપાસ સમીતી નિમીને તપાસ કરવાના ઉડાઉ જવાબો આપ્યા હતા. મહત્વનું છે કે ન્યાય માટે હરેશભાઈએ હાઈકોર્ટનો સહારો લીધો હતો. જો કે કોર્ટે સ્ટે આપીને કામકાજ ઉપર રોક લગાવી હતી. પરંતુ કામકાજ ચાલુ રાખીને જમીન માફિયાઓએ કાયદાનો છેદ ઉડાડી દીધો છે.