ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સીરીઝની બીજી વનડેમાં 274 રનનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાનું ખુબ ખરાબ શરુઆત થઇ. આજની મેચમાં ટોસ જીતીને ભારતે ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો જે બાદ ભારતીય બોલર્સે ખુબ સારું પ્રદર્શન કર્યું. ભારતીય બોલર્સે ન્યૂઝીલેન્ડના બેટ્સમેનને મોટો સ્કોર કરતા અટકાવ્યા હતા પરંતુ ભારતના બેટ્સમેને બધાને નિરાશ કર્યા. 274 રનનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 251 રનમાં જ ઓલ આઉટ થઇ ગઈ.
આજે રમાઈ રહી સીરીઝની બીજી વન ડે
ભારતે ટોસ જીતી કરી બોલિંગ
માર્ટિન ગપ્ટિલ 79 રન બનાવી આઉટ
ગઈ મેચમાં ભારતે બેટિંગ તો સારી કરી હતી પરંતુ બોલિંગ અને ફિલ્ડીંગ ખરાબ થવાના કારણે આ મેચમાં ભારતે બોલિંગમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. આજની મેચમાં સૌથી પહેલાં યુજવેન્દ્ર ચહલે હેનરી નિકોલસને આઉટ કરીને ગપ્ટિલ અને નિકોલસની 93 રનની પાર્ટનરશીપ તોડી હતી. ટોમ બ્લન્ડેલ પણ કેચ આઉટ થઇ ગયા.
આજની મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમમાંથી રોસ ટેલર ઇનિંગ છેલ્લી ઓવરોમાં સ્ટ્રાઈક પોતાની પાસે રાખવા માટે પ્રયત્નો કરી રહ્યા હતા જેથી છેલ્લી ઓવરમાં વધુ ને વધુ રન બનાવી શકાય.શાર્દુલ ઠાકુર અને કે એલ રાહુલે મળીને માર્ટિન ગપ્ટિલને આઉટ કર્યો. માર્ટિન 79 રન બનાવીને આઉટ થયા હતા. આજની મેચમાં પણ રોસ ટેલરે ધુઆંધાર બેટિંગ કરી હતી. 46મી ઓવરમાં તેમણે અર્ધશતક પૂરો કર્યો હતો. આજની મેચમાં યુજવેન્દ્ર ચહલે ભારતને સારી સફળતા અપાવી હતી. ચહલે સાઉદીના રૂપમાં ભારતને આઠમી સફળતા અપાવી. ચહલની બોલ પર લોંગ ઓન પર મોટો શોટ મારવા ગયેલા સાઉદીએ બોલ સીધો નવદીપ સૈનીના હાથમાં આપી દીધો અને આઉટ થયા.
કુલદીપ યાદવની જગ્યાએ યુજવેન્દ્ર ચહલને લેવામાં આવ્યો
ગઈ મેચમાં હીરો રહેલા ટોમ લાથમ આજે માત્ર 7 રનમાં આઉટ થઇ ગયાં. તે બાદ જેમ્સ નીશમ 3, કોલીન ડી ગ્રેંડહોમ 5 અને માર્ક ચેપમેન 3 રન બનાવી આઉટ થયા. ભારતે વનડે મેચમાં ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સીરીઝની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડ 6 વિકેટથી પોતાના નામે કરી હતી. ભારતીય ટીમમાં આજે બે ફેરફાર કરવામાં આવ્યા છે. ટીમમાં મોહમ્મદ શમીની જગ્યાએ નવદીપ સૈનીને સ્થાન આપવામાં આવ્યુ છે. સાથે જ કુલદીપ યાદવની જગ્યાએ યુજવેન્દ્ર ચહલને લેવામાં આવ્યો છે.