કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે પાર્ટીના નેતૃત્વમાં ઝડપથી ફેરફાર કરવાની માંગ કરી છે વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી પ્રત્યે પૂરેપૂરો આદર વ્યક્ત કરતાં તેમણે આ માંગ કરી હતી.
શશી થરૂરે ફરી એક વખતે નેતૃત્વ માટે અવાજ ઉઠાવ્યો
શશી થરૂર કોંગ્રેસથી નારાજ નેતાઓમાંના એક છે
કોંગ્રેસના વિવિધ એકમોની ઈચ્છા રાહુલગાંધીને ફરી પ્રમુખ બને
શશી થરૂરે ફરી એક વખતે નેતૃત્વ માટે અવાજ ઉઠાવ્યો
કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે ફરી એક વખત પાર્ટીના નેતૃત્વમાં પરિવર્તનનો અવાજ ઉઠાવ્યો છે. શનિવારે તેમણે કહ્યું કે પાર્ટીને નવા નેતૃત્વની જરૂર છે. જો રાહુલ ગાંધી પાર્ટીના અધ્યક્ષ બનવા માંગે છે, તો તે પણ જલ્દી થવું જોઈએ. પાર્ટી સત્તામાં પરત ફરવા માટે પરિવર્તન જરૂરી છે. નેતૃત્વ પરિવર્તનની માંગ કરતી વખતે, થરૂરે વર્તમાન વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી સામે કશું કહ્યું નહીં. તેમણે કહ્યું કે સોનિયા ગાંધી પોતે આ પદ છોડવા માંગે છે, તેથી પાર્ટીએ જલ્દી જ નવા નેતા નક્કી કરવા જોઈએ.
કોંગ્રેસના વિવિધ એકમોની ઈચ્છા, રાહુલગાંધીને ફરી પ્રમુખ બને
તમને જણાવી દઈએ કે, થરૂર કોંગ્રેસના 23 નારાજ નેતાઓમાંના એક છે જે પાર્ટીના નવા નેતૃત્વની માંગણી કરી રહ્યા છે. ગયા વર્ષે, જી -23 નેતાઓએ વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને પક્ષમાં વ્યાપક ફેરફારોની માંગ કરી હતી. શનિવારે તિરુવનંતપુરમમાં પત્રકારો સાથે વાતચીત કરતા થરૂરે કહ્યું કે જો રાહુલ ગાંધી પદ સંભાળવા માંગતા હોય તો તેમને જલ્દીથી આ જવાબદારી સોંપવી જોઈએ. કોંગ્રેસના વરિષ્ઠ નેતા થરૂરે કહ્યું કે, જો કોંગ્રેસ સત્તામાં પરત ફરવા માંગે છે, તો તેણે ઝડપી ફેરફારો કરવા જોઈએ અને ચૂંટણીનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. કોંગ્રેસના વિવિધ એકમો ઈચ્છે છે કે રાહુલ ગાંધીને ફરી પ્રમુખ બનાવવામાં આવે.