નોકરી છોડવા પર હવે જાતે જ અપડેટ કરાવી શકાય છે પીએફ એકાઉન્ટ. નહીં અટકે તમારા પૈસા. જાણી લો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ.
નોકરી છોડવા પર થાય છે પરેશાની તો રાખો આટલું ધ્યાન
હવે ઘરે બેઠા EPF એકાઉન્ટમાં કરો આ અપડેટ
નહીં અટકે તમારા પીએફના પૈસા
જોબ બદલવા પર અથવા નોકરી છોડવા પર પીએફ ખાતું પણ બદલવું પડે છે. એવા સમયે વિલંબ અથવા ગડબડ થવાને કારણે ઘણીવખત ફંડ અટકી જાય છે. તેથી, એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)એ પોર્ટલમાં નવી સુવિધા શરૂ કરી છે. આ અંતર્ગત તમે પોતે કંપનીમાંથી નોકરી છોડવાની જાણકારી (એક્ઝિટની તારીખ) એડ કરી શકો છો. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ફક્ત એમ્પ્લોયરને ઇપીએફઓ સિસ્ટમમાં કર્મચારીની કંપનીમાં જોઈન અને છોડવાની તારીખમાં એડ અથવા અપડેટ કરવાનો અધિકાર હતો.
કેટલાક કારણોસર જો એમ્પ્લોયર દ્વારા કર્મચારીની એક્ઝિટ તારીખને અપડેટ કરી શકાતી નહોતી, તો ઇપીએફમાંથી ફંડ ઉપાડવા અથવા ટ્રાન્સફર અટકી જતું હતું. હવે પીએફ એકાઉન્ટ ધારકો ઇપીએફઓ સિસ્ટમમાં નોકરી છોડવાની તારીખ જાતે અપડેટ કરી શકે છે. આ કાર્ય ઓનલાઇન થાય છે અને તે એકદમ સરળ પણ છે.
સૌથી પહેલા https://unifiedportal-epfindia.gov.in/memberintererface/ પર UAN પાસવર્ડ લોગીન કરો. યાદ રાખો તમારું UAN એક્ટિવ હોવું જોઈએ.
ત્યાર પછી Manage પર ક્લિક કરી તેમાં Mark Exit પર ક્લિક કરો. ડ્રોપ ડાઉન હેઠળ Select employmentથી PF account Numberને પસંદ કરો.
ત્યાર પછી Date to Exit અને Reason of Exit દાખલ કરો. પછી Request OTP પર ક્લિક કરો અને આધારથી લિંક્ડ મોબાઈલ નંબર પર OTP નાખો. ત્યાર પછી સિલેક્ટ કરો.
છેલ્લે Update પર ક્લિક કરો અને ફરી OK પર ક્લિક કરો. એવું કરવાથી તમારી Date to Exit અપડેટ થઇ જશે.
તરત નોકરી છોડી છે તો ડેટ ઓફ એગ્ઝિટ 2 મહિના પછી થશે
ઇપીએફઓ સિસ્ટમમાં એકવાર એગ્ઝિટ તારીખ અપડેટ થઈ જાય, પછી તેને બદલી શકાતી નથી. ધ્યાનમાં રાખો કે જો તમે હાલમાં જ નોકરી છોડી છે, તો તમારે એગ્ઝિટ તારીખને અપડેટ કરવા માટે 2 મહિના રાહ જોવી પડશે. કારણ કે નિયોક્તા દ્વારા છેલ્લા યોગદાન પછી માત્ર 2 મહિના પછી કર્મચારીની પીએફની તારીખ અપડેટ થઈ શકે છે.