નવા કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂતોના પ્રદર્શન ગત 51 દિવસોથી જારી છે અને સુપ્રીમ કોર્ટે કાયદાના અમલ પર આવનારા આદેશ સુધી રોક લગાવી દીધી છે. જો કે આ દરમિયાન ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ કૃષિ કાયદાના વખાણ કર્યા છે અને કહ્યું છે આ કૃષિ સુધારા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.
ખેડૂતોને વધારે લાભ મેળવવામાં મદદ મળશે
કૃષિ સુધારા માટે એક મહત્વપૂર્ણ પગલુ
અસર હેઠળના લોકોને સુરક્ષા આપવાની જરુર
કૃષિ સુધારા માટે એક મહત્વપૂર્ણ પગલુ
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના સંચાર નિર્દેશક ગેરી રાઈસે વોશિંગ્ટનમાં એક સંવાદદાતા સમ્મેલનમાં કહ્યું , અમારું માનવુ છે કે ભારત સરકાર દ્વારા લાવવામાં આવેલા કાયદામાં કૃષિ સધારા માટે લીધા મહત્વના પગલાનું પ્રતિનિધિત્વ કરવાની ક્ષમતા છે. જો કે એ લોકો માટે સામાજિક સુરક્ષાને મજબૂત કરવાની જરુર છે. જે નવી પ્રણાલીથી અસરગ્રસ્ત થઈ શકે છે.
ખેડૂતોને વધારે લાભ મેળવવામાં મદદ મળશે
રાઈસનું કહેવું છે કે આ કાયદાથી ખેડૂતોને વિક્રેતાઓની સાથે સીધો કોન્ટેક્ટ કરવામાં અને ખેડૂતોને વચેટિયાઓની ભૂમિકાને ઓછી કરવા તથા વધારે લાભ કમાવામાં મદદ મળશે. આ ઉપરાંત નવા કાયદાથી કાર્યક્ષમતા અને ગ્રામીણ વિકાસમાં વધારે ફાયદો થશે.
અસર હેઠળના લોકોને સુરક્ષા આપવાની જરુર
આઈએમએફના પ્રવક્તએ ભારતમાં કૃષિ કાયદાની વિરુદ્ધ ચાલી રહેલા વિરોધને લઈ થયેલા સવાલ પર કહ્યુ, આ મહત્વપૂર્ણ છે કે તે લોકોને પર્યાપ્ત રુપે સામાજિક સુરક્ષા મળે, જે આ નવી પ્રણાલીને લાગુ થવાથી પ્રતિકુળ રુપે પ્રભાવિત થઈ શકે છે. તેમણે વધુમાં કહ્યું કે અસરગ્રસ્ત લોકો માટે નોકરી સુનિશ્ચિત કરી શકાય છે.