કોરોનાની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે રાજધાની દિલ્હી સહિત પંજાબ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કેરળ અને ગુજરાતમાં કોરોનાના ગંભીર સ્વરૂપોની જાણ થતા સંક્રમણ વધવાના આસાર જોવા મળી રહ્યા છે.
કોરોનાની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે નવું સ્વરૂપ મળતા ખળભળાટ
દેશના 174 જિલ્લામાંથી કોરોનાનું નવું ઘાતક સ્વરૂપ મળ્યું
દિલ્હી સહિત પંજાબ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કેરળ અને ગુજરાતમાં ખતરો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ સમયે લોકોને ખાસ સતર્કતા રાખવાની સલાહ આપી છે. દેશના 174 જિલ્લામાં કોરોનાના અલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા સ્વરૂપની હાજરીનો ખ્યાલ આવ્યો છે. કોરોનાના નવા સ્વરૂપોના કારણે એક વાર ફરીથી કોરોનાના ઝડપથી સંક્રમણનો ખતરો જન્મ્યો છે. એટલું નહીં આ નવા સ્વરૂપ જે લોકોએ વેક્સિન લીધી છે તેમને પણ ઝપેટમાં લઈ શકે છે. અત્યાર સુધી કોરોના વાયરસના 120 થી પણ વધારે મ્યુટેશનની ભારતમાં ઓળખ થઈ છે. તેમાંથી અલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા સ્વરૂપને સૌથી વધારે અસરકારક માનવામાં આવી રહ્યા છે. ડેલ્ટા પ્લસનો કહેર પણ વધારે ઝડપથી વધી રહ્યો છે.
જ્યાં સંક્રમણ વધારે ત્યાં ફરીથી લાગી શકે છે લોકડાઉન
પૂર્વોત્તર રાજ્યોમાં વધતા કોરોનાના ગ્રાફના કારણે એક વાર ફરીથી લોકડાઉન લગાવવા પર વિચાર કરી શકાય છે. અત્યાર સુધીમાં 73થી વધારે જિલ્લામાં સંક્રમણના દર 10 ટકાથી વધારે રહ્યા છે જેમાં 48 જિલ્લા પૂર્વોત્તર રાજ્યોના છે. બુધવારે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં નિર્ણય કરાયો છે કે જ્યાં સંક્રમણ વધારે હશે ત્યાં લોકડાઉન લગાવી શકાય છે.
ઓક્ટોબર બાદથી સૌથી ઓછા અઠવાડિક મોતઃ WHO
દુનિયાભરમાં ગયા અઠવાડિયે કોરોનાના કેસ વધ્યા હતા પણ એક અઠવાડિયામાં મોતની સંખ્યા ઘટીને ઓક્ટોબર બાદથી નીચેના સ્તર પર છે. સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સીએ બુધવારે સાપ્તાહિક મહામારી રિપોર્ટમાં કહ્યું કે યૂરોપીય ક્ષેત્રના 35 દેશોના સંક્રમણના કેસમાં 30 ટકાનો વધારો થયો છે. WHOએ કહ્યું છે કે 28 જૂનથી 4 જુલાઈની વચ્ચે 26 લાખથી વધારે નવા કેસ સામે આવ્યા છે. જે ગયા અઠવાડિયાની તુલનામાં સામાન્ય વધારે છે. જ્યારે અઠવાડિયામાં નોંધાયેલા મોતમાં 7 ટકાનો ઘટો થયો છે. આ ઓક્ટોબર બાદના સૌથી ઓછા આંકડા છે.