બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Vidhata
Last Updated: 02:27 PM, 9 April 2024
માણસો ઉપવાસ રાખે છે એ તો સૌને ખબર જ હશે, પણ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ પ્રાણીએ ઉપવાસ કર્યો હોય? તો અમે તમને એક એવા પ્રાણીસંગ્રહાલય વિશે માહિતી આપીશું જ્યાં વાઘને અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ પર રાખવામાં આવે છે. જે દિવસે તેને માંસનો એક ટુકડો પણ આપવામાં નથી આવતો. વિશ્વમાં એક એવું પ્રાણી સંગ્રહાલય પણ છે કે જ્યાં વાઘ અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ રાખે છે. જણાવી દઈએ કે આની પાછળનું કારણ પૈસાની તંગી નથી. પરંતુ વાઘને તેના ફાયદા માટે જ ઉપવાસ પર રાખવામાં આવે છે.
એમ તો વાઘ માંસાહારી હોય છે, પરંતુ નેપાળના સેન્ટ્રલ પ્રાણી સંગ્રહાલયમાં જ્યાં વાઘોને એક દિવસ માટે માંસનો એક ટુકડો પણ નથી આપવામાં આવતો. એક રિપોર્ટ અનુસાર, પ્રાણી સંગ્રહાલય દ્વારા આવું જાણી જોઈને કરવામાં આવે છે. આવું કરવા પાછળનું કારણ આર્થિક તંગી નહીં પણ વાઘનું સ્વાસ્થ્ય છે. પ્રાણી સંગ્રહાલયના એક અધિકારીએ જણાવ્યું કે વાઘનું સ્વાસ્થ્ય સારૂ રહે તે માટે તેમને શનિવારે ઉપવાસ પર રાખવામાં આવે છે.
વજનને કંટ્રોલમાં રાખવા માટે કરાવાય છે 'ઉપવાસ'
પ્રાણી સંગ્રહાલયના સંચાલકના જણાવ્યા અનુસાર, વાઘોને પ્રાણી સંગ્રહાલયમાં ન ખાવાની કોઈ સમસ્યા છે કે ન રહેવાની કોઈ તકલીફ. પરંતુ તેમણે ભૂખ્યા રાખવા પાછળ એક કારણ છે. તેમનું વજન વધતું અટકાવવા માટે ઉપવાસ કરાવવામાં આવે છે. સામાન્ય રીતે માદા વાઘને દરરોજ 5 કિલો અને નર વાઘને 6 કિલો ભેંસનું માસ આપવામાં આવે છે. પરંતુ આ વાઘોને ઓવરવેઈટ થતા બચાવવા શનિવારે માંસ આપવામાં નથી આવતુ. જેથી તેનું પાચનતંત્ર પણ મજબૂત થાય છે.
વધુ વાંચો: 54 વર્ષ બાદ જોવા મળેલા સૌથી લાંબા સૂર્યગ્રહણનો આવો હતો અદ્દભૂત નજારો, NASA એ જાહેર કર્યો વીડિયો
વાઘનું વજન વધી જાય તો...
એક્સપર્ટ અનુસાર, જો વાઘનું વજન વધી જાય તો તેને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી તમામ પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. તેમના પેટ નીચે ચરબી જમા થવા લાગે છે અને તે દોડતી વખતે થાકી જાય છે, શિકાર કરી શકતા નથી. વાઘનું વજન દવાથી કંટ્રોલ કરવું સરળ છે, પણ આ યોગ્ય રીત નથી. ઉપવાસ કરાવવાથી તેમનું સ્વાસ્થ્ય સુધરે છે. માંસાહારી પ્રાણીઓ જો એક દિવસ કહ્વાનું ન ખાય તો તેમનાં સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થાય છે. આથી નેપાળના પ્રાણી સંગ્રહાલયના વાઘોને એક દિવસ માટે જમવાનું અપાતું નથી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા