ગમતી જગ્યાએ ઘર લેવું તે દરેક માણસનું સ્વપ્ન હોય છે, આ સ્વપ્નને પૂરુ કરતા કરતા સામાન્ય માણસની આખી જીંદગી ખર્ચાઇ જાય છે. ત્યારે યુકો બેન્કે ગ્રાહકોને રાહત આપી છે.
ઘર લેવાનુ સ્વપ્ન થશે હવે પૂરુ
યુકો બેન્ક આપશે વ્યાજમાં રાહત
બુધવારથી નિર્ણય આવ્યો અમલમાં
તમે જો ઘર લેવાનું ઇચ્છો છો તો તમારી માટે એક ખાસ તક છે. સાર્વજનિક ક્ષેત્રના યુકો બેન્કે ગ્રાહકોએ મોટી રાહત આપી છે. વિસ્તારમાં જાણો તેના વિશે.
હોમ લોન પર વ્યાજ દરમાં છૂટ
યુકો બેન્કે હોમ લોન પર વ્યાજ દર 0.25 ટકાની છૂટ આપી છે. બેન્કે કહ્યું કે અમારી હોમ લોન પર વ્યાજ દર 6.90 ટકાથી શરૂ થશે.
બુધવારથી લાગૂ
યુકો બેન્કના આ નિર્ણયથી હોમ લોન લેવી પહેલા કરતા સસ્તી થઇ જશે. બુધવારથી આ નિર્ણય અમલમાં આવી ગયો છે.
3000 કરોડ રૂપિયાની લોનનો લક્ષ્ય
સાર્વજનિક ક્ષેત્રે બેન્કને ભરોસો છે કે તે તહેવારો દરમિયાન ઓક્ટોબર અને નવેમ્બરમાં હોમ લોન માટે 3000 કરોડ રૂપિયાની લોન આપવાનું લક્ષ્ય છે.
1900 કરોડ રૂપિયાની લોનને મંજૂરી મળી
3000 કરોડની લોનમાંથી 1900 કરોડ રૂપિયાના લોનની મંજૂરી આપવામાં આવી છે. તમને જણાવી દઇએ કે છેલ્લા થોડા દિવસોમાં બેન્કોએ વ્યાજ દરમાં છૂટ આપી છે.