ઈન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવા આવેલા ભૂકંપમાં અત્યાર સુધી 46થી વધુના મોત થયા છે તથા 700થી વધુ ઘાયલ થયા છે.
ઈન્ડોનેશિયાના મુખ્ય ટાપુ પર આવ્યો ભયાનક ભૂકંપ
ભૂકંપની તીવ્રતા 5.6
અત્યાર સુધી 46થી વધુ લોકોના મોત
લોકો ઘરો અને ઓફિસની બહાર દોડી આવ્યાં
ઇન્ડોનેશિયામાં ફરી ભૂકંપના આંચકાથી ગભરાટ ફેલાયો છે. સોમવારે અહીં ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.6 માપવામાં આવી હતી. આ તીવ્ર આંચકાઓ ઘણી સેકંડ સુધી અનુભવાયા હતા. જાણકારી અનુસાર આ ભૂકંપનું કેન્દ્ર પશ્ચિમ જાવાના સિયાનુજેરમાં જમીનથી લગભગ 10 કિલોમીટર દૂર હતું. હવામાન અને જિયોફિઝિક્સ એજન્સીએ જણાવ્યું હતું કે તાત્કાલિક સુનામીનો કોઈ ખતરો નથી. ભૂકંપ એટલો પ્રચંડ હતો કે તેમાં અત્યાર સુધી લગભગ 46 લોકોના મોત થયા છે. એક અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે. આ સિવાય 700થી વધુ લોકો ઘાયલ છે જેમની સારવાર ચાલી રહી છે.
Government officials say death toll in Indonesia earthquake rises to 46; about 700 injured, reports AP
Nearly 20 people have been killed and at least 300 injured in an earthquake that rattled Indonesia's main island of Java, reports AFP citing local official
રાજધાની જાકાર્તામાં પણ ભૂકંપના આંચકા
રાજધાની જકાર્તામાં ભૂકંપ આવ્યો ત્યારે ઘણા લોકો તેમની ઓફિસોમાં બેઠા હતા અને કામ કરી રહ્યા હતા. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે ઘણી ઇમારતો ધ્રુજવા લાગી હતી. જેના કારણે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ભૂકંપના કારણે ઇમારતોમાં રાખવામાં આવેલું ફર્નિચર પણ તેની જગ્યાએથી ધ્રૂજવા લાગ્યું હતું.
2 દિવસ પહેલા આવ્યો હતો જોરદાર ભૂકંપ
આ પહેલા પશ્ચિમી ઇન્ડોનેશિયામાં શુક્રવારે રાત્રે સમુદ્રની નીચે જોરદાર ભૂકંપ આવ્યો હતો, પરંતુ કોઇ જાનમાલના નુકસાનના સમાચાર નથી. યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) એ જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા 6.9 હતી, જ્યારે તેનું કેન્દ્ર 25 કિમીની ઊંડાઈએ દક્ષિણ બેંગકુલુથી 202 કિમી દક્ષિણ-પશ્ચિમમાં હતું. આ પછી 5.4ની તીવ્રતાનો વધુ એક આંચકો આવ્યો હતો, એમ યુએસજીએસએ જણાવ્યું હતું. ઇન્ડોનેશિયાની હવામાન વિજ્ઞાન, ક્લાઇમેટોલોજી અને જિયોફિઝિક્સ એજન્સીએ સુનામીની ચેતવણી જારી કરી નથી. યુએસજીએસએ જણાવ્યું હતું કે, જાનમાલના ગંભીર નુકસાનની સંભાવના ઓછી છે. આ પહેલા રવિવારે રાત્રે ગ્રીસના તટીય વિસ્તારોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.