રાજ્યમાં પાણીના સંકટને લઈને થોડા દિવસો અગાઉ એનસીપીના નેતા શંકરસિંહ વાઘેલાએ નવસારીના ગામડાઓનો પ્રવાસ કર્યો હતો. તેમણે સિંચાઇના પાણી અને પીવાના પાણી અંગે ખેડૂતો અને ગ્રામજનો સાથે વાતચીત કરી હતી. ત્યારે હવે આ મુદ્દે રાજ્ય સરકારને ઘેરી હતી.
રાજ્યમાં પાણીની અછતને લઇને શંકરસિંહ વાઘેલા અનેક સ્થળોની મુલાકાત લઇ રહ્યા છે. ત્યારે થોડા દિવસો અગાઉ તેમણે નવસારીના ગામડાઓનો પ્રવાસ કર્યો હતો. જ્યાં તેમણે સિંચાઇના પાણી અને પીવાના પાણી અંગે ખેડૂતો અને ગ્રામજનો સાથે વાતચીત કરી હતી. ત્યારે હવે પાણીની અછત મુદ્દે શંકરસિંહે રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા.
તેમણે કહ્યું કે રાજ્યમાં પાણી માટે મારામારી થાય તેવી સ્થિતિ છે. સરકાર પાણીની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ ગઇ છે. નવસારીમાં પાણીની રક્ષા માટે પોલીસ મુકવી પડે છે. 5થી 12 મે સુધી જળસંકટવાળા સ્થળોની મુલાકાત લીધી હતી. રાજ્યના તમામ ડેમ ખાલી થવાની સ્થિતિમાં છે. રાજ્યપાલને વીડિયોગ્રાફીને નમૂના આપી પાણી મામલે રજૂઆત કરીશું.
મહત્વનું છે કે નવસારીની મુલાકાત દરમિયાન એનસીપીના નેતા શંકરસિંહે ગ્રામ્ય પંથકમાં ફરીને પાણીના પ્રશ્ને સરકારને આડેહાથ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતોને પાણી આપવું જોઈએ. પશુઓ માટે પણ પાણી ના મળતુ હોય ત્યારે ખેડૂતોએ કેનાલમાંથી પાણી લેવુ પડે છે.