ચાણસ્મા તાલુકામાં આવેલ લણવા ગામ સ્થિત જવાહર નવોદય વિદ્યાલય માં શિક્ષક દ્વારા વિદ્યાર્થી ને સોટીઓનો માર વરસાવવામાં આવ્યો હોવાની ઘટનાથી ચકચાર.
પાટણ ના ચાણસ્મામાં વિધાર્થી પર બેરહેમી
લણવા ગામની શાળાનો શિક્ષક અમાનુષ
વિધાર્થી પર વરસાવી સોટીઓ, સોળના નિશાન
પાટણના ચાણસ્મા તાલુકામાં આવેલ લણવા ગામ સ્થિત જવાહર નવોદય વિદ્યાલય માં શિક્ષક દ્વારા વિદ્યાર્થી ને સોટીઓનો માર વરસાવવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશ માં આવવા પામી છે ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ને કોરોનાકાળ દરમિયાન આપવામાં આવેલ રજાઓ માં હોમવર્ક ન કરવા જેવી બાબતે વિદ્યાર્થીને 25 વખત સોટી થી માર મારતા વિદ્યાર્થી ના શરીર પર માર ના નિશાન ઉપસી આવ્યા હતા આ બાબતે વિદ્યાર્થી ના ફોઈ દ્વારા શિક્ષક સામે દંડાત્મક પગલાં લેવા માંગ કરાઈ છે
આરોપી શિક્ષકને બચાવાઈ રહ્યો છે ?
તો બીજી તરફ નવોદય વિદ્યાલય ના ઇન્ચાર્જ પ્રિન્સિપલ મમતા લાંગેવાર એ જણાવ્યું હતું કે કસૂરવાર શિક્ષક સામે ખાતાકીય પગલાં લઈશું અને આ બાબતે કમિટી ના સભ્યો સાથે ચર્ચા કરવામાં આવી છે સાથેજ વાલીઓ ને પણ વિશ્વાસ આપ્યો છે કે હવે આ પ્રકાર ની કોઈ શિક્ષક દ્વારા ભૂલ કરવામાં નહિ આવે જોકે નવોદય વિદ્યાલય દ્વારા આરોપી શિક્ષકને એનકેન પ્રકારે બચાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હોય તેમ આરોપી શિક્ષકને મીડિયાથી દૂર રાખવામાં આવ્યો હતો લોકમુખે આરોપી શિક્ષકને બચાવી રહ્યો હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે