પાકિસ્તાન તરફી વલણને કારમે વિપક્ષી નેતાઓ પંજાબ કોંગ્રેસના પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ પર પ્રહારો કરતાં રહે છે. નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાન ગયા છે
ઇમરાનના સમર્થનમાં સિદ્ધુનું નિવેદન
પાકિસ્તાનમાં સિદ્ધુનું સ્વાગત કરવામાં આવ્યું હતું
સિદ્ધુ અગાઉ 18 નવેમ્બરે પાકિસ્તાન જવાના હતા
નવજોત સિંહ સિદ્ધુએ ફરી એકવાર એવું નિવેદન આપ્યું છે
પંજાબ કોંગ્રેસ ચીફ નવજોત સિંહ સિદ્ધુએ ફરી એકવાર એવું નિવેદન આપ્યું છે જેનાથી કોંગ્રેસની મુશ્કેલીઓ વધી શકે છે. નવજોત સિંહ સિદ્ધુ આજે (શનિવાર) પાકિસ્તાનના કરતારપુર સાહિબ પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન મારા મોટા ભાઈ છે.
સિદ્ધુએ ઈમરાન ખાનને 'મોટા ભાઈ' કહ્યા
નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાન પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પીએમયુના સીઈઓ મોહમ્મદ લતીફ સાથે વાત કરતા સિદ્ધુએ કહ્યું કે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન તેમના મોટા ભાઈ છે.
સિદ્ધુએ ઘણી વખત પાકિસ્તાનના વખાણ કર્યા છે
ઉલ્લેખનીય છે કે, નવજોત સિંહ સિદ્ધુએ ભૂતકાળમાં પાકિસ્તાન તરફી અનેક નિવેદનો આપ્યા છે. એટલું જ નહીં સિદ્ધુએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં પણ હાજરી આપી હતી. વિપક્ષી પાર્ટીઓ પણ સિદ્ધુના પાકિસ્તાન તરફી વલણને કારણે પ્રહારો કરતી રહે છે. દરમિયાન ફરી એકવાર સિદ્ધુના આ નિવેદને વિપક્ષને તેમના પર પ્રહાર કરવાની તક આપી છે.
સિદ્ધુ અગાઉ 18 નવેમ્બરે કરતારપુર જવાના હતા પરંતુ ગૃહ મંત્રાલયે મંજૂરી આપી ન હતી
નવજોત સિંહ સિદ્ધુ અગાઉ 18 નવેમ્બરે પાકિસ્તાનના કરતારપુર જવાના હતા પરંતુ ગૃહ મંત્રાલયે સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને મંજૂરી આપી ન હતી અને સિદ્ધુનું નામ ત્રીજા બેચના તીર્થયાત્રીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું. આ પહેલા ગુરુવારે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની કરતારપુર પહોંચ્યા હતા.