પંજાબ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદે તાજપોશી થયા બાદ નવજોત સિંહ સિદ્ધુ સતત ધારાસભ્યો અને મંત્રીઓ સાથે મુલાકાત કરી રહ્યાં છે. બુધવારે સિદ્ધુના ઘેર 62 ધારાસભ્યો ભેગા થયા હતા.
પંજાબ કોંગ્રેસના લગભગ 62 ધારાસભ્યો સિદ્ધુના આવાસ પર ભેગા થયા, બ્રેકફાસ્ટ માટે બોલાવાયા
સિદ્ધુના ઘર ભેગા થયેલા ધારાસભ્યો અને મંત્રીઓની તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી
છેલ્લા બે દિવસથી સિદ્ધુ અને કોંગ્રેસ ધારાસભ્યો અને મંત્રીઓ સાથે મુલાકાત કરી રહ્યાં છે
સિદ્ધુના ઘેર ભેગા થયેલા 62 ધારાસભ્યો અને મંત્રીઓની તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી. સિદ્ધુના આવાસે બ્રેકફાસ્ટ માટે આવેલા ધારાસભ્ય પરગટ સિંહે જણાવ્યું કે સિદ્ધુ શા માટે માફી માંગે. આ કોઈ જનતાનો મુદ્દો નથી. સીએમે ઘણા મુદ્દા ઉકેલ્યા નથી. ઉલટાનું તેમણે જનતાની માફી માંગવી જોઈએ.
Newly appointed Punjab Congress chief Navjot Singh Sidhu visits Golden Temple in Amritsar. pic.twitter.com/m20HUj8Fq3
સિદ્ધુએ સુવર્ણમંદિરમાં સમર્થકો સાથે માથું ટેકવ્યું
નવજોત સિંહ સિદ્ધુએ બુધવારે સમર્થકો સાથે સુવર્ણમંદિરમાં માથુ ટેકવ્યું હતું. ત્યાર બાદ ધારાસભ્યો અને મંત્રીઓને બ્રેકફાસ્ટ માટે બોલાવ્યાં હતા. સીએમ અમરિન્દર સિંહે પંજાબ પ્રભારી હરીશ રાવત સામે નવજોત સિંહ સિદ્ધુ તરફથી માફી માંગવાની શરત મૂકી હતી. તેમણે કહ્યું હતું કે સિદ્ધુએ તેમના પર કરેલા અપમાનજનક હુમલા બદલ જાહેરમાં માફી માંગે.
About 62 MLAs arrive at Punjab Congress President Navjot Singh Sidhu's residence in Amritsar: Sidhu's Office pic.twitter.com/G03RiYcNSy
મુખ્યમંત્રી અમરિન્દર માફી વગર સિદ્ધુને મળવા તૈયાર નથી
પંજાબમાં ચાલી રહેલા વિવાદને લઈને મુખ્યમંત્રી અમરિન્દર સિંહના મીડિયા સલાહકાર રવીન ઠુકરાલે સિદ્ધુ અને અમરિન્દર સિંહ વચ્ચે થનારી બેઠકની અટકળોને ફગાવી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે નવજોત સિંહ સિદ્ધુ દ્વારા અમરિન્દર સિંહને મળવા માટે સમય માંગવાની ખબરો સંપૂર્ણ રીતે ખોટી છે. કોઈ સમય માંગવામાં આવ્યો નથી. વલણમાં કોઈ ફેરફાર નથી. સીએમ ત્યાં સુધી નહીં મળે જ્યાં સુધી સોશિયલ મીડિયા પર કરાયેલા અપમાનજનક હુમલા બદલ સિદ્ધુ જાહેરમાં માફી ન માંગે.
Sidhu' show of strength - Congress MLA, and supporters have gathered in #Amritsar to throw their weight behind #NavjotSinghSidhu.
Political experts say that this could be a possible move to oppose a serious to Capt Amrinder Singh's position. pic.twitter.com/tRKiCb3ivm
— Ravinder Singh Robin ਰਵਿੰਦਰ ਸਿੰਘ راویندرسنگھ روبن (@rsrobin1) July 21, 2021
સિદ્ધુ-અમરિન્દર વચ્ચેનો વિવાદ જુનો છે
લોકસભા ચૂંટણી બાદથી કેપ્ટન અમરિન્દર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે તકરાર ચાલુ છે. પંજાબના મંત્રીમંડળથી નવજોત સિંહ સિદ્ધુએ રાજીનામું પણ આપ્યું હતું. ત્યારથી સિદ્ધુ ખુલ્લેઆમ કેપ્ટન વિરુદ્ધ મોરચો માંડી બેઠેલા જોવા મળ્યા. હવે જ્યારે આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી છે તો આવામાં સિદ્ધુએ પોતના હુમલા પણ તેજ કર્યા અને સોશિયલ મીડિયા પર તેમના પર નિશાન સાધ્યું.
તાજેતરમાં નવજોત સિંહ સિદ્ધુએ અનેકવાર કેપ્ટન અમરિન્દર સિંહ પર સીધા હુમલા કર્યા. મે મહિનામાં નવજોત સિંહ સિદ્ધુએ ટ્વીટ કરીને આરોપ લગાવ્યો હતો કે લોકોના મુદ્દા ઉઠાવી રહેલા મંત્રી, અને સાંસદ પાર્ટીને મજબૂત કરી રહ્યા છે, પોતાના લોકતાંત્રિક કર્તવ્યોને પૂરા કરી રહ્યા છે અને પોતાના બંધારણીય અધિકારોનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ સાચુ બોલનાર દરેક વ્યક્તિ તમારો દુશ્મન બની જાય છે. આ ઉપરાંત જ્યારે પંજાબમાં ગુરુ ગ્રંથ સાહિબ સાથે થયેલી બેઅદબીનો મામલો ચરમસીમાએ હતો ત્યારે નવજોત સિંહ સિદ્ધુએ રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું હતું કે હજુ સુધી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કેમ થઈ નથી. સિદ્ધુએ પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે તમે આમતેમની વાતો ન કરો, એ જણાવો કે ગુરુ સાહિબની બેઅદબી મામલે ઈન્સાફ કેમ મળ્યો નથી, નેતૃત્વ પર સવાલ છે, દાનત પર સવાલ છે.