બનાસકાંઠાના જેગોલ ગામે 12 ગામ ઠાકોર સમાજે નવા સામાજિક બંધારણ માટે નિયામાવલિ તો જાહેર કરી પરંતુ તે પછી શરૂ થયેલો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. કારણ એ હતું કે તેમાં દીકરીઓના રક્ષણની આડમાં સામાજિક પ્રતિષ્ઠાને પોષવાનો તખ્તો ઘડાઈ રહ્યો હતો. આખરે એ સામાજિક પ્રતિષ્ઠાના અભરખાનો સ્ફોટ નવઘણ ઠાકોરે કરેલી એક પોસ્ટથી થયો. દીકરીઓના સ્વતંત્રત અસ્તિત્વને નકારતી એ પોસ્ટે તેમની મધ્યકાલિન માનસિકતા છતી કરી દીધી.
બનાસકાંઠાના જેગોલ ગામે 12 ગામ ઠાકોર સમાજે નવા સામાજિક બંધારણ માટે નિયામાવલિ તો જાહેર કરી પરંતુ તે પછી શરૂ થયેલો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. કારણ એ હતું કે તેમાં દીકરીઓના રક્ષણની આડમાં સામાજિક પ્રતિષ્ઠાને પોષવાનો તખ્તો ઘડાઈ રહ્યો હતો. આખરે એ સામાજિક પ્રતિષ્ઠાના અભરખાનો સ્ફોટ નવઘણ ઠાકોરે કરેલી એક પોસ્ટથી થયો. દીકરીઓના સ્વતંત્રત અસ્તિત્વને નકારતી એ પોસ્ટે તેમની મધ્યકાલિન માનસિકતા છતી કરી દીધી. જેણે એક નવા જ વિવાદના વાવેતર કરી દીધા છે. ત્યારે જોઈએ આ અહેવાલ.
ગત દિવસોમાં દાંતીવાડાના 12 ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજની એક બેઠક મળી હતી. આ બેઠકમાં સામાજિક સુધારા માટે અનેક નિયમો બનાવવામાં આવ્યા હતા. જેમાં ઠાકોર સમાજે સમાજની કુંવારી છોકરીઓના મોબાઇલ રાખવા પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. જો કે તેમના આ વિચારણાધિન ફતવાએ રાજ્યથી લઈને રાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી હતી. હજુ તેમના આ વિચારો બંધારણનું સ્વરૂપ ધારણ કરે તે પહેલા પાછો વિવાદનો નવો અધ્યાય શરૂ થઈ ગયો છે.
હવે ખુદ ઠાકોર સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરે દીકરીઓને લઈને ફેસબુક વિવાદિત પોસ્ટ કરી છે. તેમણે દીકરીઓના સ્વતંત્ર અસ્તિત્વને નકારતી પોસ્ટ કરતાં લખ્યું છે." આપણા ક્ષત્રિય ઠાકોર સમાજની દીકરી બીજા સમાજમાં લગ્ન કરે તો આપણનો જૂનો રિવાજ અમલ કરો દીકરી દૂધપીતી બસ." તેમની આ પોસ્ટ કથિત રીતે ભલે વ્યક્તિગત હોય પરંતુ તેમ છતા એક ઠાકોર સમિતિના પ્રમુખ હોવાના નાતે આખા ઠાકોર સમાજની મધ્યકાલિન માનસિકતા છતી કરી રહી છે. મહિલાઓનું વ્યક્તિગત સ્વંતત્ર અસ્તિત્વ નકારીને તેમણે મહિલાઓની ગરિમાનું હનન કર્યું છે.
વિવાદિત પોસ્ટ પર થયાં ટ્રોલઃ
આ પોસ્ટ બાદ લોકોએ સોશિયલ મીડિયામાં તેમની ખૂબ ટીકા કરી છે. લોકોએ સોશિયલ મીડિયામાં આ પ્રકારની પોસ્ટને કારણે નવઘણ ઠાકોરને ટ્રોલ કર્યા હતા. વિવાદ વધતાં અને મુશ્કેલીઓમાં વધારો થશે તેવો અંદાજ આવી જતાં નવઘણજીએ આ પોસ્ટ જ ડિલિટ કરી દીધી હતી. પરંતુ તેમણે વીટીવી સાથેની વાતચીતમાં પોતાનો બચાવ આ રીતે કર્યો હતો. એક તરફ ભાજપ સરકાર બેટી બચાઓ, બેટી પઢાઓના અભિયાન ચલાવે છે. તો બીજી તરફ રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર સંગઠનના પ્રમુખ નવઘણજી ઠાકોર આ પ્રકારની પોસ્ટ કરી રહ્યાં છે.
આ પોસ્ટ વાયરલ થતા પક્ષ તેમની સામે શું કાર્યવાહી કરશે તે આગામી દિવસોમાં જોવાનું રહેશે. બાકી હાલમાં તો ઠાકોર સેનાના જ કેટલાક હોદ્દેદારો તેમના આ વિચાર સાથે સંમત નથી. તો બીજી તરફ એક ઠાકોર સમાજમાંથી જ આવતા એક મહિલા ધારાસભ્ય ખુલ્લા સૂરે એમ કહે છે કે આ નિવેદન દુર્ભાગ્યપૂર્ણ છે તો બીજી તરફ દબાતા સૂરે એમ કહી રહ્યાં છે કે એ નવઘણજીને સમાજના કુંવારા દીકરાઓની ચિંતા છે.
મહિલા આયોગ એક્શન મોડમાંઃ
ત્યારે હવે આ ઘટનાને લઈને મહિલા આયોગ પણ હરકતમાં આવ્યું છે. આ ઘટના બાદ રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલિયાએ આ મામલે પોતાની પ્રતિક્રિયામાં કહ્યું છે કે, નિવેદન બદલ નવઘણજીને નોટિસ ફટકારશે અને રૂબરૂ બોલાવી જવાબ માંગશે. વિજ્ઞાન, ટેકનોલોજી અને શિક્ષણના આ યુગમાં જેના માથે સમાજને આગળ ધપાવાવની જવાબદારી છે અને જે સમજના અગ્રીમ હોદ્દા પર બિરાજે છે તે જ જો આ પ્રકારની સ્ત્રી વિરોધી મધ્યકાલિન માનસિકતાનું પ્રદર્શ કરશે તો પછી સુધારાના આ ઠેકેદારો પર વિશ્વાસ કોને બેસશે?