આયુર્વેદિક ડોક્ટર દીક્ષા ભાવસારે ડેન્ગ્યુ પીડિત લોકોને તરત સાજા થવા અને પ્લેટલેટ્સ વધારવા માટે અમુક સરળ ટીપ્સ આપી છે.
ડેન્ગ્યુના સંક્રમણથી બચવા અપનાવો આ ઉપાય
જાણો ઘરગથ્થુ ઉપચાર વિશે
ઈમ્યૂનિટી પણ વધશે
દર વર્ષે આ સીઝનમાં ડેન્ગ્યુ ભારતમાં માથુ ઉચકે છે. ઘણી બાળકો અને મોટાના સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. હાલ ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં ડેન્ગ્યુના કહેર યથાવત છે. મથુરાની હોસ્પિટલ ડેન્ગ્યુના દર્દીઓથી ભરાઈ ચુકી છે અને નવા દર્દીઓ માટે બેડ્સ પણ નથી. ફિરોઝાબાદ અને કાનપુરમાં પણ ડેન્ગ્યુનું સંક્રમણ ઝડપથી પગ પેસારો કરી રહ્યું છે. યૂપીમાં પાછલા 24 કલાકમાં 10 લોકોના મોત ડેન્ગ્યુના કારણે થયા છે. એવામાં સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે.
ડેન્ગ્યુના વધતા પ્રકોપ વચ્ચે આયુર્વેદિક ડોક્ટર દીક્ષા ભાવસારે આ સંક્રમણને લઈને લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, 'ટેક્નિકલ રૂપથી આ એક મચ્છર જન્ય વાયરલ બિમારી છે. જેનો અર્થ છે કે તેને રોકવા માટે એકમાત્ર રીત મચ્છરના કરડવાથી બચવું છે. ' તેમણે તેનાથી બચવા અને સાજા થવાની અમુક રીતો વિશે જણાવ્યું છે. ડોક્ટરે જણાવ્યું કે જો તમે અથવા તમારા પરિવારનો કોઈ સદસ્ય અથવા મિત્ર હાલમાં ડેન્ગ્યુથી પીડિત છે તો અમુક સુચનોનું પાલન કરીને તે ગંભીર સિમ્ટમ્સથી બચી શકે છે.
ઈમ્યૂનિટીને ઠીક રાખવા રેસ્ટ જરૂરી
દર્દીઓએ પોતાની ઈમ્યૂનિટીને ઠીક કરવા એટલે કે ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરવા માટે જરૂરી આરામ કરવો જોઈએ જેથી તેની ઝપેટમાં આવવાથી ગંભીર રૂપથી બિમાર ન થવાય. માટે ડેન્ગ્યુથી સાજા થવા માટે તમારે આરામની ખૂબ જરૂર છે.
ડેન્ગ્યુથી જલ્દી રિકવરી માટે આ વાતોનું ખાસ રાખો ધ્યાન
શરીરમાં ન થવા દો પાણીની કમી
દિવસભરમાં ઓછામાં ઓછું 3-4 લિટર પાણી પીવો. ડિહાઈડ્રેશનથી પણ ઘણી બિમારીઓ થાય છે. માટે તમારે તમારા શરીર માટે જરૂરી માત્રામાં પાણી પીવું જોઈએ. લિકવિડ પદાર્થ ડેન્ગ્યુથી જલ્દી ઠીક કરવામાં મદદ કરે છે. ખાંડની જગ્યા પર તમે મીઠામાં ફળોનો રસ અથવા ડાયરેક્ટ ફ્રૂડને પણ પોતાના આહારમાં શામેસ કરો જે તમને લાંબા સમય સુધી હાઈડ્રેટ રાખે છે.
ડેન્ગ્યુથી બચવા માટે ઘરગથ્થુ ઉપચાર
પપૈયાના પાનનો રસ 20 મિલી દિવસમાં ત્રણ વખત પીવો જોઈએ. આ પ્લેટલેટ્સમાં સુધાર માટે સૌથી બેસ્ટ છે. તેનો સ્વાદ કડવો હોય છે માટે તેમાં તમે થોડુ મધ મિક્ષ કરીને પી શકો છો. આંબળા અને વ્હીટ ગ્રાસ જ્યુસની સાથે ગિલોયનો રસ પણ પી શકો છે. તે ઈમ્યૂનિટી અને પ્લેટલેટ્સમાં સુધાર કરવામાં મદદ કરે છે. ડેન્ગ્યુમાં પપૌયાના પત્તાના રસની અસરકારકતા પર ન ફક્ત આયુર્વેદ પરંતુ વિજ્ઞાન પણ મોહર લગાવી ચુક્યું છે. શોધમાં પણ તેને અસરદાર બતાવવામાં આવ્યું છે.