ઉત્તરાખંડમાં અસરગ્રસ્ત વિસ્તારોનું નિરિક્ષણ કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બુધવારે મોડી રાતે દહેરાદૂન પહોંચી ગયા છે.
શાહના સ્વાગતમાં સીએમ પુષ્કર સિંહ ધામી હાજર હતા
અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરી નુકસાનનું નિરિક્ષણ કરશે અમિત શાહ
દુર્ઘટનામાં 7 હજાર કરોડનું નુકસાન
એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા માટે સીએમ પુષ્કર સિંહ ધામી હાજર હતા. ઉલ્લેખનીય છે કે ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરી નુકસાનનું નિરિક્ષણ કરશે. આ બાદ તે જોલીગ્રાન્ટ એરપોર્ટ સ્થિત રાજ્ય અતિથિ ગૃહમાં અધિકારીઓ સાથે બેઠક કરશે. જેમાં સીએમ સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. આની પહેલા સીએમ પુષ્કર સિંહ ઘામીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને જણાવ્યું કે હોનારતમાં લગભગ 7 હજાર કરોડનું નુકસાનનો અંદાજો છે.
Uttarakhand: Union Home Minister Amit Shah arrives at Dehradun airport. CM Pushkar Singh Dhami was also present at the airport.
Shah will hold review meetings and take stock of the situation & conduct an aerial survey following heavy rain in the state. pic.twitter.com/HEtb1gcasm
અસરગ્રસ્ત વિસ્તારોમાં નિરીક્ષણ કર્યા બાદ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રુદ્રપુરમાં પત્રકારોને કહ્યું કે વરસાદથી પ્રદેશના તમામ માર્ગોને અસર પહોંચી છે. લગભગ 7 હજાર કરોડનું નુકસાન થયાનો અંદાજો છે. જે વધીને 10 હજાર કરોડ સુધી પહોચી શકે છે. સંપર્ક માર્ગ, પુલ, ઘર વહી ગયા છે. વીજળી , પાણી, સંસ્થાન તથા સંચાર લાઈન ધ્વસ્ત છે. પ્રવાસીઓને કાઢવા માટે વાયુ સેનાના 3 હેલીકોપ્ટર લાગ્યા છે. તેમણે કહ્યં કે પહાડ તથા મેદાનમાં પાકને ઘણું નુકસાન થયું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં 10 હજાર ફુડ પેકેટ વિતરિત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે દુધારુ પશુંઓ મારવા પર 30 હજાર રુપિયાનું વળતર આપવામાં આવશે.
આજે ગૃહમંત્રીનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ
9:30 વાગે ગૃહ મંત્રી રાજ્યભવનથી જીટીસી હેલીપેડ માટે રવાના થશે.