ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ(એમ્સ) ભાપાલમાં કોરોના દર્દીના પોસ્ટ મોર્ટમ કરીને એ સમજવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે વાયરસ કયા કયા અંગોને કેટલું નુકસાન પહોંચાડી રહ્યો છે. શરીરની અંદર કેટલીવાર સુધી જીવતો રહે છે. એ પણ અધ્યયનથી સમજી શકાય છે. રવિવારે દર્દીઓના મૃતદેહોનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે. ઓછામાં ઓછા 10 લાશોનું અધ્યયન કરવામાં આવશે. જો વધારે લાશો મળશે તો તેનો અધ્યયનમાં સમાવાશે. ભોપાલ એમ્સના ડાયરેક્ટર ડૉ. સરમન સિંહે કહ્યું કે અત્યારે ફક્ત ઈટલી અને અમેરિકામાં આનું અધ્યયન કરવામાં આવી રહ્યુ છે. ભારતમાં અત્યાર સુધી આ અંગે કોઈ શોધ થઈ નથી.
આ શોધ એમ્સના 4 વિભાગ મળીને કરી રહ્યા છે
સ્વજનો સરળતાથી ડેડબોર્ડી આપવા તૈયાર નથી
શોધના પરિણામથી દર્દીઓના સારવારમાં મદદ મળશે
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ની પરવાનગી અને એમ્સની એથિકલ કમિટીની મંજૂરી બાદ આ અધ્યયન શરુ કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય શોધકર્તા ફોરેન્સિક વિભાગના એડિશનલ પ્રો. ડૉ. જયંતી યાદવ છે. પહેલી બોડીનું પોસ્ટમોર્ટમમાં તેમની સાથે વૃંદા પટેલ, ડૉ. સરવન, ડૉ. મહાલક્ષ્મીએ કર્યુ હતુ.
આ શોધ એમ્સના 4 વિભાગ મળીને કરી રહ્યા છે. આમાં પેથોલોજી વિભાગ, માઈક્રોબાયોલોજી વિભાગ, ફોરેન્સિક મેડિસિન વિભાગ અને ક્રિટિકલ કેર મેડિસિન વિભાગનો સમાવેશ થાય છે. સૌથી પહેલા ફોરેન્સિક વિભાગ શવનું પોસ્ટમોર્ટમ કરશે. માઈક્રોબાયોલોજી વિભાગ જોશે કે કોરોના ડેડ બોડીમાં જીવતો છે કે નહીં. વાયરલ લોડ કેટલો છે. સાથે જોશે કે કયા અંગોમાં વાયરલ લોડ છે એટલે કે વાયરસ કેટલી સંખ્યામાં છે. આ જ રીતે પેથોલોજી વિભાગ તપાસ કરશે. માઈક્રોસ્કોપમાં જોશે કે અંગોને કેટલું નુકશાન થયું છે. તેમજ જોવાશે કે પોસ્ટમોર્ટમના પરિણામ અને લક્ષણોની વચ્ચે કેટલો સંબંધ છે.
લાશોના પરિક્ષણ માટે મૃતકના સ્વજનોની લેખિત પરવાનગી જરુરી હોય છે. સ્વજનો સરળતાથી ડેડબોર્ડી આપવા તૈયાર નથી. 5 પરિવાર સાથે વાત થઈ જેમાંથી 1 તૈયાર થયો છે. એમ્સના ડૉય સરમન સિંહે કહ્યું કે દેશમાં પહેલાવાર આ પ્રકારનું અધ્યયન થઈ રહ્યુ છે. આનાથી ખબર પડશે કે અંગોમાં વાયરસ કેટલી અસર કરે છે. ડેડ બોડીમાં તે કેટલીવાર જીવતો રહે છે. શોધના પરિણામથી દર્દીઓના સારવારમાં મદદ મળશે.