જીવલેણ કોરોના વાયરસને લઈને ભારત સરકાર ખૂબ સતર્ક થઈ ગઈ છે. ભારત સરકારે ચીનમાં રહેતા પોતાનાં નાગરિકોને સુરક્ષીત પાછા લાવવાની શરુઆત કરી દીધી છે. તેમજ વિદેશથી આવનારા તમામની મેડિકલ તપાસ કરવામાં આવે છે. ખાસ કરીને ચીનથી આવનારા લોકોની. ભારત સરકાર આ તમામનું નિદાન થઈ શકે તે માટે ખાસ તૈયારીઓ કરી રહી છે. ભારત સરકાર અલગ અલગ શહેરોમાં તપાસ માટે ખાસ લેબ બનાવવાની તૈયારીઓમાં લાગી ગઈ છે. ત્યારે જાણો ક્યાં બનશે આ લેબ અને કેવી હશે.
ચીનથી ભારતીયોને રેસ્ક્યુ કરવામાં આવશે
ભારતમાં ચીનથી આવનારા લોકોને 14 દિવસ અલગ રખાશે
ભારતમાં કોરોના વાયરસના નિદાન માટે નવી 11 લેબ શરુ કરાઈ
ચીનથી ભારતીયોને પાછા લાવવામાં આ મુશ્કેલી પડી રહી છે
ચીનમાં રહેતા ભારતીય નાગરિકોને પાછા લાવવાની શરુઆત શુક્રવારથી થઈ ગઈ છે. ચીને ભારતને પોતાના નાગરિકોને પાછા લાવવા બાબતે મંજુરી આપી દીધી છે. ચીનમાં લગભગ 600 ભારતીય છે. સૌથી પહેલા હુવાઈની રાજધાની વુહાન અને પછી બીજેથી લોકોને બહાર કાઢવામાં આવશે. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે અમે ઝડપથી આપણા નાગરિકોને લઈ આવવા માંગીએ છીએ પણ ચીનમાં ફ્લાઈટો મોડી થઈ હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજુ અમને નાગરિકોની ઓળખ પ્રક્રિયામાં વાર લાગી રહી છે.
જરુર પડશે તો બીજુ વિમાન પણ વુહાન જશે
સમસ્યા એ છે કે હંમેશાની જેમ 1200 ભારતીયો રહે છે પણ 600 સાથે જ સંપર્ક થઈ શક્યો છે. કેટલા ભારતીયો છે તેનો ચોક્કસ આંકડો નથી મળી રહ્યો. જે લોકો ભારત આવવા માંગે છે તેમને લઈને ભારતીય વિમાન શુક્રવારે સાંજે ભારતીયોને લઈને પરત ફરશે. જરુર જણાશે તો બીજુ વિમાન મોકલવામાં આવશે.
સરકારની ખરી પરિક્ષા ચીનથી ભારતીયોને પાછા લાવ્યા બાદ શરુ થશે. કોરોના વાયરસનો એક કેસ સામે આવ્યાં બાદ સરકાર વધારે સજાગ થઈ ગઈ છે. કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમિતિએ ભારત પરત ફરનારા લોકોની તપાસ કરવ અલગ વ્યવસ્થા કરવા ગુરુવારે બેઠક યોજી હતી. જેમાં 5 એવા લેબ શરુ થશે જે આ વાયરસનું નિદાન કરશે.
આ શહેરોમાં બનશે લેબ
આ લેબ એનઆઈવી બેંગલુરુ, વિક્ટોરિયા હોસ્પિટલ કેમ્પર્સ, (બેંગ્લુરુ), એમ્સ (નવી દિલ્હી), એનસીડીસી(નવી દિલ્હી), કસ્તુરબા ગાંધી હોસ્પિટલ, (મુંબઈ) અને એનઆઈવી (કેરળ)માં હશે. જ્યારે કે શુક્રવારે આ સિવાયની 6 લેબમાં તપાસ શરુ થઈ ગઈ છે. જેમાં આઈસીએમઆર(કોલકતા) , જીએમસી(સિકંદરાબાદ), કેજીએમયૂ(લખનોઉ), એસએમએસ(જયપુર) અને આઈજીજીએમસી (નાગપુર) અને કેઆઈએમપીઆર(ચેન્નાઈ)નો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે કોરોનાને લઈને સંબંધિત તમામ વિભાગો ઉચ્ચસ્તરીય બેઠક યોજાયી હતી. નોંધનીય છે કે ચીનથી આવનારા લોકોને 14 દિવસ અલગ રાખવામાં આવશે. તેમજ પર્યટન સ્થળો પર ખાસ ધ્યાન રાખમાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 21 દેશોમાં આ વાયરસ ફેલાઈ ચૂક્યો છે.