જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટ્યા બાદ રાજ્યમાં અનેક પરિવર્તન આવી રહી છે. રાજ્યના નાગરિકોને લગતા અનેક નિર્ણયો લેવા સરકાર કામ કરી રહી છે. ત્યારે જાણો સરકાર કાશ્મીરી પંડિતોને કઈ નવી ભેટ આપવા જઈ રહી છે. જાણો કાશ્મીરી પંડિતોને ભેટમાં શું મળશે સરકાર તરફથી...
જમ્મુ કાશ્મીરમાં નવો એક નિર્ણય લેવાશે
જમ્મુ કાશ્મીરમાં પંડિતોને એમ ફોર્મ નહી ભરવું પડે
એમ ફોર્મને લઈને સરકાર કરી રહી છે વિચાર
માઈગ્રેટેડ ફોર્મની વ્યવસ્થા રદ્દ કરવાનો વિચાર કર્યો
જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ રાજ્યમાં કેટલાય પરિવર્તન આવી રહ્યાં છે. આ તમામ ઘટનાઓની વચ્ચે કાશ્મીરી પંડિતોને કેન્દ્ર સરકાર એક મોટી ભેટ આપવા જઈ રહી છે. સરકાર તેની જ તૈયારીઓમાં જોડાઈ ગઈ છે. અધિકારીક સૂત્રોનાં જણાવ્યાનુંસાર કેન્દ્ર સરકારે કાશ્મીરી પંડિતો માટે એમ ફોર્મ એટલે કે માઈગ્રેટેડ ફોર્મની વ્યવસ્થા રદ્દ કરવાનો વિચાર કર્યો છે. કાશ્મીરી પંડિતો લાંબા સમયથી એમ ફોર્મ હટાવવાની માંગ કરી રહ્યાં છે.
જલ્દી જ આ મુદ્દા પર નિર્ણય લેવામાં આવશે
ઉલ્લેખનીય છે કે એમ ફોર્મ કાશ્મીરનાં વિસ્થાપનનો સામનો કરી રહેલા કાશ્મીરી પંડિતોને વોટિંગનો અધિકાર આપશે. અત્યારે ઘાટીનાં અસ્થાયી કાશ્મીરી પંડિતોને મતદાન કરવા માટે માઈગ્રેટેડ ફોર્મ (એમ ફોર્મ) ભરવાનું રહેતું હતું. આ ફોર્મ ભર્યા પછી જ તેઓ મતદાન કરી શકે છે. કાશ્મીરી પંડિતોનાં સંગઠને ઘણીવાર સરકાર પાસે આ વ્યવસ્થાને રદ્દ કરવા માટે માંગણી કરી છે. ત્યારે મોદી સરકાર તેને હટાવવા માટે વિચાર કરી રહી છે. જલ્દી જ આ મુદ્દા પર નિર્ણય લેવામાં આવશે.