ધીમું વેક્સિનેશન અને વધતી આર વેલ્યૂ કોરોના વાયરસની 2 મોટી મુશ્કેલીઓ ભારતમાં જોવા મળી રહી છે. આના કારણે સરકારની ચિંતા વધી છે.
ધીમા વેક્સિનેશનને લઈને વધી સરકારની ચિંતા
કોરોનાને લઈને ભારત સામે 2 મોટી મુશ્કેલીઓ
વધતી જતી આર વેલ્યૂએ વધાર્યું સરકારનું ટેન્શન
દેશમાં કોરોના મહામારી હારવાનું નામ લઈ રહી નથી ત્યારે વેક્સીનેશનમાં હાલમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 20 દિવસની તુલનામાં 21 જૂનથી શરૂ થયેલી નવી વેક્સિનેશનના ભાગ રૂપે 50 ટકા વધારે ડોઝ અપાયા છે. 21 જૂનથી 10 જુલાઈ સુધીમા 9,14,64,483 ડોઝ અપાયા છે તો 1 જૂનથી 20 જૂન સુધીમાં 6,09,06,766 ડોઝ અપાયા હતા. 21 જૂને દેશમાં સૌથી વધારે વેક્સીનેશન થયુ હતુ અને સાથે 86,16,373 ડોઝ અપાયા હતા.
કેવી રહી છે વેક્સિનેશનની પ્રક્રિયા જાણો અહીં
26 જૂનથી 30 જૂનના 4 દિવસમાં 39 ટકાનો ઘટાડો વેક્સિનેશનમાં આવ્યો છે. આ સમયે સરેરાશ 39,67,189 ડોઝની સાથે કુલ 1,98,35,946 ડોઝ અપાયા હતા. 1 જુલાઈથી 5 જુલાઈ સુધીમાં વેક્સિનેશનમાં 6 ટકાનો વધારો નોંધાયો અને સાથે સરેરાશ 42,23,019 ડોઝ સાથે કુલ 2,11,15,099 ડોઝ અપાયા છે. તો અન્ય તરફ 6 જુલાઈથી 10 જુલાઈમાં વેક્સિનેશનમાં ફરીથી લગભગ 16 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે વેક્સિનની અછત અને વેક્સિનેશન સેન્ટર્સને બંધ રાખવાના નિર્ણયની આ અસર છે.
જૂન અંતથી આર વેલ્યૂમાં થયો વધારો, આવનારા મહિના લાવશે મુશ્કેલી
છેલ્લા કેટલાક સમયની વાત કરીએ તો 45ય6 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે તો આર વેલ્યૂમાં કોરોનાના ઝડપથી વધતા કેસને જોઈએ તો તેમાં આવનારા મહિનામાં મુશ્કેલી વધવાના સંકેત મળી રહ્યા છે. જૂન મહિનાના અંતથી આર વેલ્યૂ વધી રહી છે. તેનાથી રીપ્રોડક્ટિવ નંબર કે પ્રભાવી ટ્રાન્સમિશન રેટ કહે છે કે કોરોના વાયરસ એકથી અન્ય વ્યક્તિમાં કેટલી ઝડપથી ફેલાય છે. શોધકર્તાએ કહ્યું કે આર વેલ્યૂ 1થી ઓછો હોવો જોઈએ. ગાલમાં આર વેલ્યૂ 0.78થી વધીને 0.88 થઈ છે જે ચિંતાનો વિષય છે.
ઓગસ્ટમાં જોવા મળી શકે છે કોરોનાની ત્રીજી લહેર
આર વેલ્યૂ હાલમાં 1 થી નીચે છે પણ દેશને આવતા મહિને ત્રીજી લહેરનો ડર છે. એસબીઆઈના રિપોર્ટમાં ત્રીજી લહેર ઓગસ્ટમાં આવશે અને સપ્ટેમ્બરમાં પીક પર હશે. તો એમ્સના રણદીપ ગુલેરિયાએ પણ ચેતવણી આપતા રહ્યું છે કે ભારત 6-8 અઠવાડિયામાં કોરોનાની ત્રીજી લહેરને અનુભવી શકે છે.