નસીરુદ્દીન શાહ તેમના અભિનયની સાથે-સાથે તેમના સ્પષ્ટ નિવેદનો માટે પણ જાણીતા છે.
નસીરુદ્દીન શાહે આપ્યું ભડકાઉ નિવેદન
હિન્દુ મુસ્લિમને લઇને આપ્યું નિવેદન
ગૃહયુદ્ધની આપી દીધી ધમકી
હાલમાં જ એક પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે નરસંહારનો ડર બતાવતા ગૃહયુદ્ધનો ખતરો હોવાનું જણાવ્યું છે. નસીરુદ્દીને જમણેરી લોકોની કમેન્ટ પર તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે આવા લોકો ભારતને ગૃહયુદ્ધ તરફ લઈ જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે દેશમાં 20 કરોડ મુસ્લિમો છે, જેને તમે રાતોરાત મિટાવી નહીં શકો. આપણે 20 કરોડ આ ભારતના છીએ. અમારી પેઢીઓ અહીં જન્મી અને સમાપ્ત થઈ. હું ખુલ્લેઆમ કહું છું કે જો આવું કંઈ થશે તો તેનાથી ગુસ્સો જ પેદા થશે અને અમે તેની સામે લડીશું.
કેન્દ્ર સરકાર પર આરોપ
નસીરુદ્દીન શાહે કેન્દ્રની શાસક સરકાર પર આરોપ લગાવતા કહ્યું, વર્તમાન સરકાર મુસ્લિમોને બીજા વર્ગના નાગરિક તરીકે જાળવી રાખવા માંગે છે. મુસ્લિમોના મનમાં એવો ડર જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે તેઓ આશા છોડી દે. હું કહેવા માંગુ છું કે જો દમનની સ્થિતિ હશે તો અમે બિલકુલ ડરવાના નથી. અમે જવાબ આપીશું કારણ કે અમે અમારી માતૃભૂમિને બચાવી રહ્યા છીએ, અમારા પરિવારને બચાવી રહ્યા છીએ.
ધર્મસંસદને કહ્યું ગૃહયુદ્ધનો ખતરો
નસીરુદ્દીન શાહે કહ્યું કે આજે દેશમાં પોલીસ ઈન્સ્પેક્ટરના મોત કરતાં પણ વધુ ગાયના મોતને મુદ્દો બનાવવામાં આવે છે, જે વિચારવા યોગ્ય છે. નસીરે કહ્યું કે તેમની ફિલ્મો 'અ વેનડે (2008)' અને 'સરફરોશ (1999)' સિવાય, લાહોરમાં તેમના નિવેદન માટે તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા કે તેઓને ત્યાં ઘર જેવું અનુભવાય છે. એટલું જ નહીં, તાજેતરમાં યોજાયેલી 'ધર્મ સંસદ' પર નિશાન સાધતા અભિનેતાએ તેને ગૃહયુદ્ધનો ખતરો ગણાવ્યો હતો.
પીએમ મોદી પર સીધું નિશાન
નસીરુદ્દીન શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તથ્યો અને સત્ય છુપાવવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે ઉશ્કેરણીજનક નિવેદન આપનારાઓની ધરપકડ થશે કે નહીં, તે તેના પર નિર્ભર કરે છે કે પોલીસને આદેશ આપવામાં આવે છે કે કેમ. કોણ આદેશ આપી રહ્યું છે. તેણે પોલીસમાં મુસ્લિમોનું ઓછું પ્રતિનિધિત્વ હોવાનો પણ દાવો કર્યો હતો. નસીરે કહ્યું કે તેમના જીવનમાં રાજકારણ ક્યારેય આટલું નીચે નથી પડ્યું. તેણે કહ્યું કે મારા પિતાએ પાકિસ્તાન જવાની ના પાડી દીધી હતી પરંતુ આજે ભારતમાં જન્મેલા લોકોનું ભવિષ્ય શું છે તે ખબર નથી.