કુદરત સાથે લગાવ ધરાવતા લોકો કુદરતી સૌંદર્યની મજા માણવા નીકળી પડે છે. ત્યારે સોળે કળાએ ખિલી ઉઠેલા નર્મદાના જંગલોમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે.
કુદરતી સૌંદર્યની માણો મજા
એક વાર લો નર્મદાની મુલાકાત
નદી, ઝરણા મન કરશે પ્રફુલ્લિત
સ્ટેચ્યૂ ઓફ યૂનિટીથી ડેમનો નજારો
અદભૂત નજારો છે નર્મદા જિલ્લાનો. 43 ટકા વનવિસ્તાર ધરાવતો નર્મદા જિલ્લો વરસાદ બાદ સોળે કળાએ ખિલી ઉઠયો છે.અને આ કુદરતી સૌંદર્યની મજા માણવી કોને ન ગમે.. આ જ કારણ છે કે નર્મદા જિલ્લાનું સૌંદર્ય માણવા હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. નર્મદામાં જિલ્લામાં ફરવાની વાત આવે એટલે યાદ આવે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી, નર્મદા ડેમ અને આસપાસમાં વહેતા ઝરણાઓ.. સાતપુડાના પહાડો અને તેની વચ્ચેથી વહેતી નર્મદા નદીનું સૌંદર્ય અદભૂત છે.અને આ કુદરતી સૌંદર્યનો લ્હાવો લેવા ઉમટી પડયા છે હજારો પ્રવાસીઓ
પહાડ પરથી પડતું આ ઝરણું..
ગુજરાતમાં ભરપૂર વરસાદ બાદ કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠયું છે. ડુંગરોએ લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્ય સર્જાયા છે. જંગલમાંથી વહેતા ઝરણા અને તેમાં પણ આ કુદરતી નજારો ઉંચાઈથી જોવા મળે તો કેવી મજા પડે. આ જ કારણોસર સ્ટેચ્યૂ ઓપ યુનિટી પર પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. અહીં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની બાલ્કનીમાંથી કુદરતી નજીરો જોવાની મજા જ કંઈક અલગ છે.ત્યારે આ કુદરતી નજારાની મજા માણવા માત્ર ગુજરાતથી જ નહીં. પણ આસપાસના રાજયો અને વિદેશથી પણ લોકો આવી રહ્યા છે..
પ્રકૃતિ પ્રેમીઓનો વધ્યો ધસારો
સાતપુડા અને વિંધ્યાચલની ગિરીમાળાઓ વચ્ચે બનેલું સ્ટેચ્યૂ ઓફ યૂનિટી અને ત્યાંથી દેખાતો નર્મદા ડેમ સૌ કોઈને આકર્ષી રહ્યો છે.. ચોમાસામાં અહીં લીલાછમ વૃક્ષોથી પહાડોએ લીલી ચાદર ઓઢી છે. અને આ કુદરતી સૌંદર્ય મિની કશ્મીરની યાદ અપાવી જાય છે. ત્યારે આ સુંદરતા માણવા પ્રવાસીઓનો ધસારો વધ્યો છે.
વિદેશથી પણ આવે છે મુલાકાતીઓ
સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પ્રવાસીઓની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી રહી છે.. હજારોની સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. ત્યારે તેમને બસથી લઈને રેલવેની સુવિધા અપાઈ રહી છે. જેને પગલે દૂરદૂરથી પ્રવાસીઓ કેવડિયા કોલોની પહોંચી રહ્યા છે.. અને નજારો માણીને આનંદ અનુભવી રહ્યા છે.