સૌરાષ્ટ્રમાં નિર્માણ પામેલા સૌથી ભવ્ય ખોડલ ધામ મંદિરના પ્રમુખ નરેશ પટેલ અને અને તેમની ટીમ આજે સુરત આવી પહોંચી હતી. જ્યાં તેમણે જણાવ્યું કે, સૌરાષ્ટ્રમાં નિર્માણ પામેલ ખોડલધામ મંદિર જેવું વિશાળ અને ભવ્ય મંદિર દક્ષિણ ગુજરાત માટે સુરતમાં બનાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, મંદિરના નિર્માણના આયોજન માટે જુદા જુદા સમાજના આગેવાનો, સેવાકીય સંસ્થાઓ આગેવાનો અને અન્ય અગ્રણીઓ સાથે નરેશ પટેલ અને તેમની ટીમે મિટિંગ કરી હતી. તો આ અંગે તેમણે જણાવ્યું કે, ખોડલધામ તમામ સમાજના લોકોને સાથે લઈને ચાલે છે. માટે અહી પણ સૌરાષ્ટ્રની જેમ તમામ સમાજના વિદ્યાર્થીઓ માટે સંસ્થા સ્થાપવામાં આવશે.
આપને જણાવી દઇએ કે, તક્ષશીલા અગ્નિકાંડ મુદ્દે પણ નરેશ પટેલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે ખોડલધામ મૃતકોના પરિજનોની સાથે છે. પરિવારને ન્યાય મળે એ માટે સરકારમાં રજૂઆત કરી છે. પરિજનોનામાં માટે જે કઈ પણ ઘટતુ થશે તે કરવા માટે ખોડલધામ તૈયાર છે.