નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિ ભવનમાં બીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લીધા છે. 2014ની જેમ આ વખતે પણ પ્રધાનમંત્રી અને તેમના મંત્રીમંડળનું શપથગ્રહણ મેગા ઇવેન્ટ યોજાયું છે. કાર્યક્રમમાં સામેલ થવા માટે મોટી સંખ્યામાં મહેમાનોને ઉપસ્થિત રહ્યા.
લોકસભા ચૂંટણીમાં મળેલી ભવ્ય જીત પછી આજે નરેન્દ્ર મોદીએ ફરી વડાપ્રધાન પદ માટેના શપથગ્રહણ કર્યા હતા. મોદીએ તેમના મંત્રીમંડળ સાથે શપથ લીધા હતા. ત્યારે જાણો આ મોદી કેબિનેટમાં કયા નેતાઓનો મંત્રીમંડળમાં સમાવેશ થયો?
હવે જીત વધુ દમદાર છે તો નવી કેબિનેટ પણ દમદાર તૈયાર કરવામાં આવી છે. કેટલાક જૂના મંત્રીઓને ફરી જવાબદારી સોંપવામાં આવી છે. તો કેટલાકને મંત્રી પદમાંથી મુક્તિ મળી છે. જ્યારે કેટલાક નવા ચહેરાઓને મંત્રી મંડળમાં સ્થાન સોંપવામાં આવ્યું છે.
આ શપથ સમારોહમાં મોટી સંખ્યામાં મહેમાનોને ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલ અને ફિલ્મસ્ટારો તેમજ ઉદ્યોગપતિઓ અને દેશના અનેક દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે.