કોંગ્રેસ નેતા જયરામ રમેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ પર વિરોધીયો પર હુમલાને લઇને પ્રવર્તન નિદેશાલય (ED), કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો (CBI) અને ઇન્કમ ટેક્સના રૂપમાં ત્રિશૂલનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.
જયરામ રમેશે પીએમ મોદી-અમિત શાહ પર લગાવ્યો આરોપ
વિરોધીઓ પર ત્રિશૂલનો કરે છે ઉપયોગ
CBI, IT, EDને ગણાવ્યું સરકારનું ત્રિશુલ
કોંગ્રેસ નેતા જયરામ રમેશે ગૌહાટીમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે પીએમ મોદી અને અમિત શાહને પોતાના વિરોધીઓ વિરુધ્ધ નવુ શસ્ત્ર ત્રિશુલ મળી ગયું છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે ભારપૂર્વક જણાવ્યું કે ત્રિશૂલની ત્રણ ધાર કઇ છે? ત્રિશુલની ત્રણ ધાર CBI, IT અને ED છે. પીએમ મોદી અને અમિત શાહ પોતાના વિરોધીઓ પર પ્રહાર કરવા માટે આ ત્રણ ધારવાળા ત્રિશૂળનો ઉપયોગ કરી રહ્યાં છે. રમેશે કહ્યું કે તેમની પાર્ટી કોંગ્રેસ તેમનો વિરોધ કરે છે અને સંવિધાનના માર્ગદર્શનમાં એવી કરતી રહેશે.
Jairam Ramesh,Congress in Guwahati,Assam: Mr. Amit Shah and Mr.Narendra Modi have a very powerful instrument in their hands-the Trishul. In the trishul there are three things to poke you, the CBI,the ED and the Income Tax. (6.11.19) pic.twitter.com/S1vy7vE7ly
આ અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટવિટ કરી લખ્યું હતું કે દરેક પસાર થઇ રહેલા મહીનાની સાથે મોદી મીનાર ગુમરાહ કરતા-કરતા ઝડપથી ઉપરની તરફ વધી રહ્યો છે. આ અક્ષમતાનું પ્રતિક છે. રાહુલ ગાંધીએ હેશટેગ 'મોદી મંદી અને મુસીબત' (#ModiMandiAurMusibat) નો ઉપયોગ કર્યો છે.
With each passing month the Modi Minar races upwards at a breathtaking pace; a monument dedicated to incompetence.
કોંગ્રેસ નેતા રાહુલગાંધીએ (Rahul Gandhi) એ દેશમાં બેરોજગારીના દરનો એક ચાર્ટ પણ દર્શાવ્યો જેમાં સપ્ટેમ્બર મહીનામાં 7.16 ટકા અને ઓક્ટોબર મહીનામાં 8.5 ટકામાં બેરોજગારી ટકાવારીની સરખામણી કરવામાં આવી છે.