5 દિવસના તહેવારમાં બીજો દિવસ નરક ચૌદસનો હોય છે. તેને રૂપ ચૌદસ પણ કહેવાય છે.
આજે નરક ચૌદશની ઉજવણી
નરક ચતુર્દશીએ પાપનો થાય છે નાશ
ખાસ રીતે સ્નાન કરવાથી થશે લાભ
એવું માનવામાં આવે છે કે આ દિવસે વહેલી સવારે સ્નાન કરવાથી દેખાવમાં વધારો થાય છે અને આખું વર્ષ સુંદરતા જળવાઈ રહે છે.
આ સિવાય આ દિવસે સ્નાન કરવાથી નરકમાંથી મુક્તિ પણ મળે છે. જો કોઈ વ્યક્તિ નરક ચૌદશના દિવસે વિશેષ રીતે સ્નાન કરે છે, તો તેના બધા પાપો નાશ પામે છે અને તેને નરક જવાના ભયથી પણ મુક્તિ મળે છે.
નરક ચતુર્દશી 2021ના દિવસે ધર્મ અને જ્યોતિષમાં દર્શાવેલ રીતે સ્નાન કરવું જોઈએ. આ માટે હળદર-ચંદન, બેસન, કેસર અને દૂધ મિક્સ કરો અને તેનાથી સ્નાન કરો. આમ કરવાથી રૂપ ચમકે છે અને જીવનમાં સકારાત્મકતા પણ આવે છે.
આ સિવાય સ્નાન કરતી વખતે તલના તેલથી શરીર પર માલિશ કરો અને ત્યાર બાદ ઔષધીય છોડ અપામાર્ગને માથાના ઉપરના ભાગેથી 3 વાર ફેરવો અને પછી તેના પાનને પાણીમાં નાખીને સ્નાન કરો. તેમજ દક્ષિણ દિશા તરફ મુખ કરીને યમરાજને પાપોની ક્ષમા માટે પ્રાર્થના કરો. આમ કરવાથી પાપોનો નાશ થાય છે અને નરક જવાનો ભય પણ દૂર થાય છે. આ દિવસે સ્નાન કર્યા પછી પરફ્યુમ કે અત્તર વગેરે ચોક્કસ લગાવો. સારી રીતે તૈયાર રહો. બની શકે તો આજે પીળા કપડા પહેરો.
નરક ચતુર્દશીના દિવસે તમારે સાંજે 14 દીવા પ્રગટાવવા જોઈએ. આમ કરવાથી જીવનમાંથી દુ:ખ અને મુસીબતોનો અંધકાર દૂર થાય છે અને દીવાઓનો પ્રકાશ જીવનમાં સુખ અને સકારાત્મકતાનો સંચાર કરે છે. આ દિવસે તલના તેલનો દીવો કરવો શુભ છે. પરંતુ ઘરમાં દીવા પ્રગટાવવા સિવાય પીપળાના ઝાડ નીચે અને નજીકના મંદિરમાં દીવા પ્રગટાવવાનું ભૂલશો નહીં.