નરક ચતુર્દશી પર યમરાજની વિશેષ ઉપાસના કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં નરકથી બચવા માટે યમ દીપકનુ ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે.
કાળી ચૌદસના દિવસે કરો યમરાજની વિશેષ ઉપાસના
નરકથી બચવા માટે યમ દીપકનુ ખાસ મહત્વ
યમની વિશેષ ઉપાસના કરવાથી જીવાત્માઓને સદગતિ મળે છે
નરક ચતુર્દશી પર યમ દીપકનુ ખાસ મહત્વ
હિન્દુ પંચાંગ મુજબ કારતક માસના કૃષ્ણ પક્ષની ચૌદસે નરક ચતુર્દશીનો તહેવાર મનાવવામાં આવે છે. નરક ચતુર્દશીએ નાની દિવાળી, કાળી ચૌદસ સહિત ઘણા નામથી ઓળખવામાં આવે છે. પંડિતના જણાવ્યા મુજબ, નરક ચતુર્દશી પર યમરાજની વિશેષ ઉપાસના કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં નરકથી બચવા માટે યમ દીવાનુ ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. માન્યતા છે કે આ દિવસે યમની વિશેષ ઉપાસના કરવાથી જીવાત્માઓને સદગતિ મળે છે. આવો જાણીએ નરક ચતુર્દશીના દિવસે યમ દીપક સાથે જોડાયેલી માન્યતા અને કથા અંગે.
કાળી ચૌદસનુ મહત્વ
પંડિતજીના જણાવ્યાં મુજબ, નરક ચતુર્દશીએ સાંજે પૂજાનુ વિધાન છે. નરક ચતુર્દશીએ સાંજે યમ દીપક પ્રગટાવવાથી નરકમાંથી મુક્તિ મળે છે. કહેવામાં આવે છે કે આ દિવસે પાણી અથવા ગટરની પાસે દીવો પ્રગટાવવાથી વ્યક્તિએ નરક ભોગવવુ પડતુ નથી.
નરકમાંથી મળશે મુક્તિ
આ દિવસે સાચી શ્રદ્ધાથી યમરાજની પૂજા કરવાથી નરકમાંથી મુક્તિ મેળવી શકો છો. નરક ચતુર્દશીના દિવસે સાંજના સમયે ઘરમાં દીવા પ્રગટાવવામાં આવે છે અને યમરાજની પૂજા કરવામાં આવે છે. આ સાથે યમરાજ પાસે અકાળે મૃત્યુથી બચવા માટે અને પરિવારની સુરક્ષા માટે પ્રાર્થના કરવામાં આવે છે. કાળી ચૌદસનુ પર્વ મનાવવા પાછળ એક પૌરાણિક કથા પણ પ્રચલિત છે.