હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે ગુરૂવારે કહ્યું કે, નમાઝને તાકાત બતાવવાનું માધ્યમ ન બનાવવું જોઈએ. તેમણે રાજ્યના પટોડીમાં ક્રિસમસ સમારોહને વિક્ષેપ કરવાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું.
હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરનું નિવેદન
તાકાતનું પ્રદર્શન નથી નમાઝ
જાહેર જગ્યાઓ પર અદા ન થવી જોઈએ
કેટલાક હિન્દુ સમુદાયો દ્વારા ગુડગામમાં કેટલાક જાહેર સ્થળો પર નમાઝને રોકવાના પ્રયત્નો કરવા વચ્ચે નમાઝ પર ખટ્ટરે આ ટિપ્પણી કરી છે. અહીં ભારતીય મહિલા પ્રેસ કોરના સભ્યોની સાથે વાત કરતા ખટ્ટરે કહ્યું કે, જાહેર સ્થળો પર નમાઝ પઢવી અયોગ્ય છે. નમાઝ નમાઝ રહેવી જોઈએ ન કે તાકાતનું પ્રદર્શન.
હરિયાણાના મુખ્યમંત્રીએ કહ્યું કે, તમામ લોકો ઇબાદત કરવા અને પ્રાર્થના કરવા માટે સ્વતંત્ર છે પરંતુ આ નિશ્ચિત સ્થળો પર હોવી જોઈએ. તેમણે કહ્યું કે, જો આના પર કોઈ મતભેદ છે, તો અલગ અલગ ધ્મોના લોકો મધ્યસ્થતા માટે સ્થાનિક તંત્રનો સંપર્ક કરી શકે છે.
ક્રિસમસની ઘટનાને ખટ્ટરે દુર્ભાગ્યપૂર્ણ ગણાવી
પટોડીની ઘટના અંગે પૂછવા પર જ્યાં કથિત રીતે કેટલાક દક્ષિણપંથી યુવાનોને ક્રિસમસ સમારોહમાં વિક્ષેપ ઉભો કર્યો, ખટ્ટરે કહ્યું કે, આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. એવી ઘટનાઓનું સમર્થન કરવાનું કોઈ કારણ નથી. આ રીતે કોઇ પણ કાર્યક્રમમાં અડચણ ઉભી કરવી યોગ્ય નથી.