કોરોનાના કેસોમાં આવેલા અચાનક ઉછાળાને પગલે નાગાલેન્ડ સરકારે 14 મેથી 21 મે સુધી એક સપ્તાહના કડકમાં કડક લોકડાઉનની જાહેરાત કરી છે.
નાગાલેન્ડમાં 1 અઠવાડિયાનું ફૂલ લોકડાઉન
4 મેથી 21 મે સુધી લાગુ રહેશે
કડક પ્રતિબંધો નિષ્ફળ નીવડ્યાં
મંગળવારે સવારે કોવિડ-19 પરની હાઈ પાવર્ડ કમિટીની બેઠકમાં મળી હતી તેમાં સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવાયો હતો.
નેબીબા ક્રોનું અને કિકોન બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર, 14 મે ના સાંજના છ થી શરુ થનાર લોકડાઉન 21 મે સુધી ચાલશે.આ પહેલા 30 એપ્રિલ નાગાલેન્ડ સરકારે કડક પ્રતિબંધો લાગુ પાડ્યાં હતા જોકે તેનાથી પરિસ્થિતિ કાબૂમાં આવી નહોતી. ઉલ્લેખનીય છે કે રાજધાની કોહિમા અને દિમાપુરમાં કોરોનાના કેસોમાં રાફડો ફાટી રહ્યો છે. કડક પ્રતિબંધો છતાં પણ કોરોના કેસમાં કાબુમા આવ્યાં નહોતા તેથી સરકારે કડકમાં કડક લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
બાંધકામ સેક્ટર તથા જરુરી સેવાઓને લોકડાઉનમાંથી છૂટ
નાગાલેન્ડ સરકારે કૃષિ તથા બાંધકામ સેક્ટર તથા જરુરી સેવાઓને લોકડાઉનમાંથી છૂટ આપી છે.
સરકારી વિભાગો રાબેતા મુજબ ચાલુ રહશે જોકે ડિપાર્ટમેન્ટના હેડ દ્વારા કોર ટીમની રચના કરવામાં આવશે.
24 કલાકમાં 3.29 લાખ નવા મામલા
ભારતમાં કોરોનાનો કહેર યથાવત છે. જો કે રોજ સામે આવનારા નવા મામલામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત 24 કલાકમાં 3.29 લાખ નવા મામલા સામે આવ્યા છે. ગત દિવસોની સરખામણીએ લગભગ 37 હજાર ઓછા છે.
મહારાષ્ટ્રમાં 30 માર્ચ બાદ સૌથી ઓછા કેસ
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જારી આંકડા અનુસાર મહારાષ્ટ્રમાંસ સોમવારે કોરોના વાયરસના 37, 236 નવા મામલા સામે આવ્યા છે. જે બાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 51,38,973 થઈ ગઈ છે. હાલ રાજ્યમાં 5, 90,818 એક્ટિવ કેસ છે. જેમની સારવાર ચાલી રહી છે. 549 લોકોના મોત બાદ કુલ મોતનો આંકડો વધીને 76398 થઈ ગયો છે. અત્યાર સુધી કુલ સાજા થનારા દર્દીની વાત કરીએ તો આ સંખ્યા 44,69,425 થઈ ગઈ છે. ગત એક દિવસમાં 61, 607 લોકો સાજા થઈ ચૂક્યા છે.