મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બન્યા બાદ કોંગ્રસે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે કહ્યું કે ના બેન્ડ, ના બાજા, ના બારાત અને CM અને ડે. સીએમએ શપથ લીધા. આ ઘટના કાળી શાહીથી લખાશે. કોઇ તપાસ કર્યા વગર શપથ લેવામાં આવી. કાંઇને કાંઇ ગડબડી છે.
અહેમદ પટેલે કહ્યું કે બેશરમની બધી સરહદ પાર થઇ ગઇ. NCP ના કેટલાક લોકોએ યાદી આપી, જેને લઇને આ ઘટના ઘટી ગઇ છે. અહેમદ પટેલે કહ્યું કે ભાજપને હરાવવા માટે ત્રણેય પક્ષો સાથે આવ્યાં હતા. અમે ત્રણેય આજે પણ એકજૂટ છીએ. કોંગ્રેસના બધા ધારાસભ્યો એક સાથે છીએ. અમારી તરફથી કોઇ મોડુ થયું નથી. કોંગ્રેસ પર જે આરોપ લગાવામાં આવી રહ્યો છે તે નિરાધાર છે. જો કે અહેમદ પટેલે સ્વીકાર્યું કે કેટલાક મુદ્દાઓ પર સહમતિ પર સમય લાગ્યો.
બીજેપીને ન તો મિત્ર જોઈએ અને ન તો વિપક્ષઃ ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે શિવસેના જે કરે છે તે અન્ય દિવસે દેખાડે છે. અમે લોકોને જોડવાની કોશિશ કરીએ છીએ અને તે લોકો તોડવાની કોશિશ કરે છે. આ જે ખેલ ચાલી રહ્યો છે તે આખો દેશ જોઈ રહ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે બીજેપીને ન તો મિત્ર જોઈએ છે અને ન વિપક્ષ. આ લોકોએ હરિયાણા અને બિહારમાં પણ આવું જ કર્યું હતું. આજે જે થયું છે તે છત્રપતિ શિવાજી મહારાજ પર સર્જિકલ સ્ટ્રાઈક છે.
બહુમત સાબિત નહીં કરી શકેઃ શરદ પવાર
શરદ પવારે દાવો કર્યો કે દેવેન્દ્ર ફડણવીસ બહુમત સાબિત કરી શકશે નહીં. અમે એકસાથે છીએ, અજીત પવારની પાસે જે ચિટ્ઠી હતી તેમાં દરેક 54 ધારાસભ્યોના હસ્તાક્ષર હતા. શરદ પવારે કહ્યું કે આજે સાંજની બેઠકમાં આગળનો નિર્ણય નક્કી થશે. અમે જે નિર્ણય લઈશું તેમાં શિવસેનાની સહમતિ બની શકશે નહીં. મને કોઈ ચિંતા નથી. પહેલાં પણ મારી સાથે આવું થઈ ચૂક્યું છે. અમે રાજ્યપાલને 30 નવેમ્બર સુધીનો સમય આપ્યો છે. અમારી પાસે નંબર છે અને અમે સરકાર બનાવીશું.
શરદ પવાર બોલ્યા - અજીત પવારનો પોતાનો નિર્ણય
એનસીપી પ્રમુખ શરદ પવાર બોલ્યા કે આ અજીત પવારનો પોતાનો નિર્ણય છે. આ નિર્ણય પાર્ટીની વિચારધારાની વિરુદ્ધનો છે. કેટલાક નિર્દલીય ધારાસભ્યો અમારી સાથે છે. કેટલાક ધારાસભ્યો બીજેપીની સાથે આવ્યા છે. આ ધારાસભ્યોને પાર્ટી બદલવાનો નિયમ ખ્યાલ હોવો જોઈએ. મને અજીત પવારના ડેપ્યુટી સીએમ બનવાની વાત અચાનક ખબર પડી છે. અમારે જે કાર્યવાહી કરવાની હશે તે અમે કરીશું.