એન. બીરેન સિંહે સોમવારે બીજા વાર મણિપુરના મુખ્યમંત્રી બન્યા છે. તેમણે ઈમ્ફાલમાં સીએમ પદના શપથ લીધા હતા.
મણિપુરમાં ફરી એક વાર ભાજપની સરકાર
એન બીરેન સિંહ બન્યા મુખ્યમંત્રી, શપથ લીધા
32 ધારાસભ્યોનું મળ્યું સમર્થન
એન. બીરેન સિંહે સોમવારે બીજા વાર મણિપુરના મુખ્યમંત્રી બન્યા છે. તેમણે ઈમ્ફાલમાં સીએમ પદના શપથ લીધા હતા. આપને જણાવી દઈએ કે, એન.બીરેન સિંહને મણિપુર ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં સર્વસંમતિથી રાજ્યના મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામા આવ્યા હતા. સિંહને સીએમ તરીકે ચૂંટ્યા બાદ કેન્દ્રીય પર્યવેક્ષક નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, આ અત્યંત સારો નિર્ણય છે, એ નક્કી કરશે કે, મણિપુરમાં એક સ્થિર અને જવાબદાર સરકાર હોય જે આગળ નિર્માણ કરશે કારણ કે, કેન્દ્ર પીએમ મોદીના નેતૃત્વમાં પૂર્વોત્તર રાજ્યોમાં વિશેષ ધ્યાન આપે છે. એન બીરેન સિંહને સર્વસંમતિથી 32 ધારાસભ્યોનું સમર્થન મળ્યું હતું.
ત્યાર બાદ મણિપુરના રાજ્યપાલ એલ. ગણેશને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દળના નેતા અને કાર્યવાહક મુખ્યમંત્રી એન. બીરેન સિંહને આગામી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. આ અગાઉ કેન્દ્રીય મંત્રીઓ નિર્મલા સીતારમણ અને કિરેન રિજિજૂએ પાર્ટી તરફથી રાજ્યપાલને એક પત્ર સોંપ્યો હતો, જેમાં કહેવાયુ હતું કે, એન બીરેન સિંહને સર્વસંમતિથી 32 ધારાસભ્યોના સમર્થન સાથે વિધેયક દળના નેતા તરીકે પસંદ કરવામા આવ્યા છે.
Manipur | Five MLAs, including Nemcha Kipgen, Y. Khemchand Singh, Th. Biswajit Singh, Awangbou Newmai, & Govindas Konthoujam swear in as the Cabinet Ministers of the state, in Imphal pic.twitter.com/iuXFi6QW9M
રાજભવનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બે રાજકીય પાર્ટીઓ જનતા દળના છ સભ્યોએ, કુકી પીપુલ્સ એલાયંસના બે સભ્યો તથા એક અપક્ષ ઉમેદવારે ભાજપને કોઈ પણ પ્રકારની શરત વગર પોતાનું સમર્થન આપ્યું છે અને પોતાના સમર્થન પત્ર પણ રાજ્યપાલને મોકલી આપ્યા છે. તેમાં ભાજપના નેતૃત્વવાળી સરકાર પાસે 60 સભ્યોવાળી મણિપુર વિધાનસભામાં 41 સભ્યોની સંખ્યા હશે અને આ સરકાર પાસે બે તૃત્યાંશ બહુમત હશે.
ભાજપની સત્તામાં વાપસી
મણિપુર વિધાનસભા ચૂંટણીમાં 32 સીટોમાં ભાજપની જીત થઈ હતી. જ્યાં કોંગ્રેસ ફક્ત પાંચ સીટો જીતી હતી. આ ઉપરાંત એનપીપીને 7, એનપીએફને 7 તથા અન્યના ખાતામાં 11 સીટો ગઈ હતી.