કૃષિ કાયદા માટે ચાલી રહેલ ખેડૂત વિરોધ પ્રદર્શનને લઇને જે આશંકા હતી. તે હવે જોવા મળી રહી છે. કૃષિ કાયદાઓને રદ્દ કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ મુસ્લિમ નેતાઓએ નાગરિકતા સંશોધન વિધેયક (સીએએ)ને પણ રદ્દ કરવાની માંગ કરી છે.
કૃષિ કાયદો રદ્દ થયા બાદ હવે ઉઠી આ માંગ
નાગરિકતા સંશોધન વિધેયક રદ્દ કરવાની ઉઠી માંગ
મુસ્લિમ નેતાઓએ કાયદો રદ્દ કરવાની કરી માંગ
હવે મુસ્લિમ નેતાઓએ કરી માંગણી
જમાત-એ-ઈસ્લામી હિંદના અધ્યક્ષ સૈયદ સદાતુલ્લાહ હુસૈનીએ કહ્યું, અમે હવે સરકાર પાસે સીએએ-એનઆરસી જેવા અન્ય કાયદાઓ પર પણ વિચાર કરવાનો આગ્રહ રાખીએ છીએ. અમને ખુશી છે કે વડાપ્રધાને આખરે ખેડૂતોની માંગને માની લીધી છે. બીજી તરફ જમીયત ઉલમા-એ-હિન્દના પ્રમુખ અશરદ મદનીએ નિર્ણયનું સ્વાગત કરતા કહ્યું, સીએએ સામે થયેલા આંદોલને ખેડૂતોને કાયદાની સામે વિરોધ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. સીએએ કાયદો પણ પાછો લેવો જોઈએ. મજલિસ-એ-મુશાવરતના પ્રમુખ નાવેદ હમીદે કહ્યું કે સીએએ અને યુએપીએ સહિત મોટા કડક કાયદાને પાછા લેવાની જરૂર છે.
બીજા કાયદાઓ રદ્દ કરવાનો સંભળાઈ રહ્યો છે સૂર
કૃષિ કાયદાઓને રદ્દ કરવાના નિર્ણય પર ઘણાં લોકોએ વાંધા દર્શાવ્યા છે. જાણકારોનું માનવુ છે કે તેનાથી કૃષિ સંશોધનને મોટો ઝટકો લાગશે. તો એવુ પણ કહેવામાં આવતુ હતુ કે જો વિરોધ પ્રદર્શનને કારણે કોઈ કાયદો પાછો લઇ લેવામાં આવે તો વિરોધના સૂર બીજા કાયદાઓ માટે સાંભળવા મળશે. હવે આ દેખાઈ રહ્યું છે. કૃષિ કાયદા બાદ હવે મુસ્લિમ નેતા સીએએને પાછો લેવાની માંગ કરી રહ્યાં છે. એવામાં તો સંસદમાં કાયદો બનાવવાનો કોઈ અર્થ રહેશે નહીં.