મુંબઈ એટીએસે એક આતંકવાદીની ધરપકડ કરી છે. મુંબઈમાં ગેસ અટેક કરવાની હતી તૈયારી.
ખાનગી એજન્સીએ જીઆરપીઓને ચેતવ્યા છે
મુંબઈ એટીએસે એક આતંકવાદીની કરી ધરપકડ
મુંબઈમાં ગેસ અટેક કરવાની હતી તૈયારી
જો કે દિલ્હી સ્પેશિયલ સેલ તરફથી 6 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. જેમાંથી એક આરોપી મુંબઈના ધારાવી વિસ્તારનો રહેવાસી છે. આ મામલામાં હવે મહારાષ્ટ્ર એન્ટી ટેરરીસ્ટ સ્ક્વોર્ડ (ATS) અને મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત ટીમે મુંબઈના જોગેશ્વરીથી એક શંકાસ્પદ આતંકીની ધરપકડ કરી છે. આરોપીનું નામ ઝાકિર મનાઈ રહ્યું છે. જાણકારી મુજબ ઝાકિરની પહેલા પકડાયેલ મોહમ્મદ શેખ ઉર્ફે સમીર કાલિયા પાસેથી હથિયાર અને વિસ્ફોટર લીધા હતા. દિલ્હી સ્પેશિયલ સેલના સૂત્રોએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા આતંકવાદી મુંબઈ લોકલ ટ્રેન સહિત દેશના અલગ અલગ વિસ્તારમાં આતંકી ષડયંત્રને સફળ બનાવવા માંગતા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર રેલવે પોલીસ એટલે કે જીઆરપીની એજન્સીઓ સાથે સંભવિત આતંરી હુમલાની જાણકારી મળી હતી.
ખાનગી એજન્સીએ જીઆરપીઓને ચેતવ્યા છે
હવે ખાનગી એજન્સીઓએ જીઆરપીને ચેતવ્યા છે કે આતંકી ટ્રેનમાં ગેસ અટેક અથવા પ્લેટફોર્મ પર આવનાર ભીડને ગાડીઓથી કચડી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે આતંકવાદીઓની પુછપરછમાં મળેલી જાણકારી ઉપરાંત જીઆરપીને આ પ્રકારના અનેક એલર્ટ અનેક એજન્સીઓ પાસેથી મળ્યા છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અમને સમય સમય પર આવા એલર્ટ મળતા રહે છે. ખાસ લોકલ ટ્રેનને લઈને અમને બહું ગંભીરતાથી લઈએ છીએ અને પ્રવાસીઓની સુરક્ષાને લઈને આ પ્રકારની પગલા ઉઠાવીએ છીએ. દિલ્હી પોલીસની કાર્યવાહી બાદ જીઆરપીએ મુંબઈના તમામ મોટા રેલ્વે સ્ટેશનની સુરક્ષા વધારી દીધી છે અને કેટલીક એન્ટ્રી અને એગ્જિટના રસ્તા બંધ કરી દીધા છે.
રેલવે સ્ટેશનોની સુરક્ષા વધારવામાં આવી
જીઆરપીએ લાઈવ મોકડ્રિક કરવાનું શરુ કરી દીધું છે જેમાં અધિકારીઓને એ શીખવા મળે છે કે આતંકી હુમલા દરમિયાન પ્રવાસીઓને કેવી રીતે બચાવી શકાય અને તેમને પકડવાના છે. જીઆરપી ઉપરાંત પોલીસ દળ રેલવે સ્ટેશન પર તૈનાત કરવામાં આવ્યા છે અને જીઆરપી નેશનલ સિક્યોરિટી ગાર્ડ સહિત બીજી એજન્સીઓનો સંપર્કમાં છે. જીઆરપી કમિશનર કેસર ખાલિદે આદેશ આપ્યા છે કે રેલવે સ્ટેશન પર સમય પર પોલીસ હાજર હોવા જોઈએ. આ ઉપરાંત સમય સમય પર બોમ અને ડોગ સ્ક્વોર્ડને પણ પેટ્રોલિંગ કરવું જોઈએ. જેથી ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળાય.
રેલ્વેમાં 6થી7 હજાર સીસીટીવી કેમેરા લાગ્યા
આ ઉપરાંત જીઆરપી તે તમામ જગ્યાઓ પર તપાસ થઈ રહી છે. જે રેલવેની નજીક છે અથવા પ્લેટફોર્મ પર છે. જ્યાં ગેસ સિલેન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી આતંકવાદીઓ ગેસ લીક અથવા સિલેન્ડર બ્લાસ્ટ જેવા કામ ન કરી શકે. રેલવે પોલીસ હવે પાર્સલ બુકિંગ પર ધ્યાન આપી રહી છે અને તપાસ કરી રહી છે. જીઆરપી અધિકારીઓ માને છે કે સમગ્ર રેલવેમાં કુલ 6થી7 હજાર સીસીટીવી કેમેરા લાગ્યા છે. જીઆરપી હજું વધારે કેમેરા લગાવવાના છે જેથી તેઓ બચેલા સ્પોર્ટને કવર કરી શકે.