મહારાષ્ટ્રમાં આર્થિક આધાર પર મળનારી 10 ટકા અનામતને કેબિનેટની મંજૂરી આપી દીધી છે. 10 ટકા સવર્ણ અનામતનાં બિલને આજે મહારાષ્ટ્ર સરકાર મંત્રીમંડળની સામે રાખવામાં આવી. જેનો દરેકે સર્વસંમત્તિથી સ્વીકાર કરી લીધો.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની નોકરીઓમાં સામાન્ય વર્ગનાં ગરીબો માટે 10 ટકા અનામત 1 ફેબ્રુઆરીથી લાગુ થઇ ગયેલ છે. ત્યારે હવે રાજ્યો પણ આ દિશા તરફ મહત્વનાં પગલાં ઉઠાવી રહી છે.
તમને જણાવી દઇએ કે કેન્દ્ર સરકારે આને લઇને પહેલેથી જ આદેશ પણ રજૂ કરી દીધો છે. કેન્દ્રીય વિધિ અને ન્યાય મંત્રાલય તરફથી રજૂ કરાયેલ સૂચના અનુસાર સંવિધાન (103મું સંશોધન) અધિનિયમને આધારે સંવિધાનનાં અનુચ્છેદ 15 અને 16માં સંશોધન કરવામાં આવ્યું છે. આને આધારે એક જોગવાઇ જોડવામાં આવી છે. જે સરકારને 'નાગરિકોનાં આર્થિક રૂપથી કમજોર કોઇ વિભાગનાં પ્રમોશન માટે વિશેષ જોગવાઇ કરવાની અનુમતિ આપે છે.'
અનામતનો લાભ ઉઠાવવા માટે આવક પ્રમાણપત્ર દેખાડવું અનિવાર્ય હોઇ શકે છે. સરકારે પહલેથી જ એવું સ્પષ્ટ કરી દીધું છે કે અનામતનો લાભ તેઓને જ મળશે કે જેમની વાર્ષિક આવક આઠ લાખ રૂપિયાથી ઓછી છે.
સવર્ણ અનામતનો લાભ ઉઠાવવા માટે જરૂરી છે કે આપની પાસે જાતિ પ્રમાણપત્ર હોય. સવર્ણ જાતિનાં સ્પર્ધકોને ક્યારેય પણ જાતિ પ્રમાણપત્ર લગાવવાની જરૂરિયાત નથી હોતી જેથી વધારે લોકો પાસે જાતિનું પ્રમાણપત્ર નથી હોતું.
ઉલ્લેખનીય છે કે આગામી નજીકનાં સમયગાળામાં લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે મોદી સરકારે સવર્ણોને ધ્યાને રાખીને ખૂબ મહત્વનો નિર્ણય કર્યો હતો અને સવર્ણોની અનામત મંજૂર કરી હતી. કેન્દ્રીય કેબિનેટે આ નિર્ણય લેતાં સવર્ણોને આર્થિક ધોરણે 10 ટકાની અનામત મંજૂર કરી દેવાઇ હતી. લોકસભા ચૂંટણી પહેલાં જ મોદી સરકારે અનામતને લઇને મોટી જાહેરાત કરી હતી.
ત્યારે મહત્વનું છે કે આ સવર્ણ અનામતને રાજ્યમાં લાગુ કરનાર સૌ પ્રથમ રાજ્ય ગુજરાત હતું. બાદમાં યૂપીમાં પણ 10 ટકા સવર્ણ અનામત લાગુ કરાઇ છે. રૂપાણી સરકાર બાદ હવે યોગી સરકારે પણ EBC અનામતને મંજૂરી આપી દીધી છે.
અનામત લાગુ કરનાર UP ગુજરાત બાદ ઝારખંડ યૂપી હિમાચલ પ્રદેશમાં પણ સવર્ણ અનામતને મંજૂરી આપી દીધી છે. ત્યારે હવે મહારાષ્ટ્રે પણ સવર્ણ અનામતને મંજૂરી આપી દીધી છે.