બીજેપીના મોટા નેતા મુકુલ રોય પોતાના દિકરા શુભ્રાંશુની સાથે TMCમાં પરત ફર્યા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીની હાજરીમાં તેમણે ટીએમસી જોઈન કરી લીધું.
ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રૉય શુક્રવારે TMC માં પાછા આવી ગયા
હાલ બંગાળમાં જે સ્થિતિ છે તે જોઈને લાગે છે કે ભાજપમાં કોઈ નહીં રહે
મમતાએ કહ્યું કે ભાજપ લોકોનું રહેવાનું મુશ્કેલ કરી રહ્યું છે
ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રૉય શુક્રવારે TMC માં પાછા આવી ગયા
ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રૉય શુક્રવારે TMC માં પાછા આવી ગયા છે. મુકુલ રોયે પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીની હાજરીમાં TMC કાર્યાલય પર જઈ પાર્ટીના સભ્ય બન્યા હતા. આ રાજનૈતિક અવસર પર CM મમતાએ કહ્યું કે મુકુલ અમારા જ ઘરના સભ્ય છે અને તે પોતાના ઘરે જ પાછા આવ્યા છે. વધુમાં CM મમતા એ આ વાત પર કહ્યું કે ચૂંટણી દરમ્યાન મુકુલે અમારી સાથે કોઈ પણ દગાખોરી નથી કરી, પણ જે લોકોએ અમારી સાથે દગખોરી કરી છે તેવા લોકો માટે પાર્ટીમાં કોઈ પણ પ્રકારનું સ્થાન છે નહીં.
BJP national vice president Mukul Roy and his son Subhranshu Roy join TMC in the presence of West Bengal CM Mamata Banerjee, in Kolkata. pic.twitter.com/WS9oFE2J79
હાલ બંગાળમાં જે સ્થિતિ છે તે જોઈને લાગે છે કે ભાજપમાં કોઈ નહીં રહે
પત્રકારોને સંબોધતા મુકુલ રોયે કહ્યું કે, "મને TMCમાં પાછા આવતા ઘણો જ આનંદ થઈ રહ્યો છે. ભાજપમાંથી બહાર નીકળીને પોતાના લોકો અને જૂના લોકોને મળીને હું ઘણો જ ખુશ છું. હું ભાજપમાં કામ ના કરી શક્યો, એટલે હું મારા જૂના ઘરમાં પાછો આવ્યો છું." રોયે કહ્યું કે,"હું ભાજપ છોડીને પાછો TMC માં આવ્યો છું, હાલ બંગાળમાં જે સ્થિતિ છે તે જોઈને લાગે છે કે ભાજપમાં કોઈ નહીં રહે."
મમતાએ કહ્યું કે ભાજપ લોકોનું રહેવાનું મુશ્કેલ કરી રહ્યું છે
મમતા બેનર્જીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમની સાથે મુકુલ રોય પણ હાજર હતા. મમતાએ કહ્યું કે બીજેપીમાં ખૂબ વધારે શોષણ છે. તે લોકોનું રહેવું મુશ્કેલ કરી નાખે છે. બીજેપી સામાન્ય લોકોની પાર્ટી નથી. મમતાએ કહ્યું કે મુકુલ ઘરના જ છે. તેમની વાપસી થઈ છે. બાકી લોકો પાર્ટીમાં આવી શકે છે. તે સમયે મુકુલ રોયે કહ્યું કે હું બીજેપી છોડીને TMCમાં આવ્યો છું. હાલ બંગાળમાં જે સ્થિતિ છે. તે સ્થિતિમાં કોઈ બીજેપીમાં ન રહી શકે.
તમને જણાવી દઈએ કે વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીને મોટી જીત મળ્યા બાદ ઘણા જૂના સહયોગી ટીએમસીમાં પરત ફરવા માંગે છે. તેમાં મુકુલ રોયનું નામ સૌથી ઉપર હતું. મુકુલ રોય, બીજેપીમાં શુભેંદુ અધિકારીના મોટા કદના કારણે પરેશાન હતા. આ જ કારણ છે કે તે પોતાની જુની પાર્ટીમાં પરત ફરવા માંગતા હતા. મુકુલ રોય પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હોવાની અટકળો વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ મુકુલ રોય સાથે ફોન પર વાતચીત પણ કરી હતી.