દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ મહારાષ્ટ્રના કોરોના દર્દીને માટે 100 ટન ઓક્સીજન મોકલીને મદદનો હાથ લંબાવ્યો છે.
મહારાષ્ટ્રના કોરોના દર્દીઓની મદદ
મુકેશ અંબાણીએ મોકલ્યો ઓક્સીજન
રિલાયન્સે મોકલ્યો 100 ટન ઓક્સીજન
દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ કોરોનાના દર્દીની મદદ માટે એક સારી પહેલ કરી છે. અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે જામનગરમાં સ્થિત પોતાની 2 તેલ રિફાઈનરીથી મહારાષ્ટ્રના ટ્રકથી 100 ટન ઓક્સીજન પહોંચાડ્યો છે.
મુખ્યમંત્રીએ પીએમ મોદીને ઓક્સીજનની અછતની કરી હતી વાત
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીને પત્ર લખીને રાજ્યામાં ઓક્સીજનની ભારે અછત હોવાનું જણાવ્યું હતું. તેલ રિફાઈનરી નાઈટ્રોજનના ઉત્પાદનને માટે પોતાના એયર સેપરેશન પ્લાન્ટમાં ઔદ્યોગિક ઓક્સીજન પણ તૈયાર કરે છે. આ ઓક્સીજનમાં કાર્બન ડાઈઓક્સાઈડ અને અન્ય ગેસ હટાવીને ચિકિત્સામાં ઉપયોગમાં લેનારો 99.9 ટકા શુદ્ધ ઓક્સીજન તૈયાર કરી શકાય છે. આ ઓક્સીડન કોરોના દર્દીઓને આપી શકાશે. આ ઔદ્યોગિત ઓક્સીજનમાં થોડો ફેરફાર કરીને તેને સારવાર માટે ઉપયોગમાં લઈ શકાય છે. મહારાષ્ટ્રના શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદેએ રિલાયન્સની તરફથી રાજ્યને 100 ટન ઓક્સીજન મળ્યાની પુષ્ટિ કરી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી મિલિન્ડ દેવડાએ પણ ટ્વિટ કરીને આ કામ માટે મુકેશ અંબાણીના વખાણ કર્યા છે.
Grateful to Mukesh Ambani for supplying 100 tons of oxygen to Maharashtra.
From enhancing India’s PPE capacity to undertaking the world’s largest private-sector led meal distribution program for daily-wage earners, @ril_foundation has disrupted philanthropy during #COVID19 🙏🏼 https://t.co/3W1dvUsfG7
શું કહ્યું બીપીસીએલએ
સરકારી કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે કહ્યું કે તે પોતાના કોચ્ચિ સ્થિત રિફાઈનરીથી કેરળ માટે સારવારના ઓક્સીજનનો સપ્લાય આપશે જેથી કોરોનાના દર્દીઓને સારવારમાં રાહત મળી રહે. તેઓએ કહ્યું કે તેઓ રોજ 1.5 ટન ઓક્સીજન કોચ્ચિના સરકારી હોસ્પિટલને આપશે.
ઈન્ડસ્ટ્રીના અનુમાનના આધારે દેશમાં હાલમાં 7200 મેટ્રિક ટન ઓક્સીજનનું ડેલી ઉત્પાદન છે. તેમાંથી જો 50 ટકા પણ મેડિકલ માટે યૂઝ કરાય છે અને 50 ટકાને ઉદ્યોગો માટે.