દિવાળી આવે એટલે સોનાની ખરીદી વધી જતી હોય છે. પુષ્ય નક્ષત્રમાં સોનુ ખરીદવું શુભ માનવામાં આવે છે.
દિવાળી પહેલા કરો ખરીદી
પુષ્ય નક્ષત્રમાં કરો સોનાની ખરીદી
પુષ્ય નક્ષત્ર શનિવારે સવારે 8:05 વાગ્યાથી શરૂ થઇને બીજા દિવસે સવારે 8:46 સુધી રહેશે. દિવાળી પહેલા ખરીદી માટેના 3 યોગ શુભ છે. પુષ્ય નક્ષત્રના દિવસે સવારથી મોડી રાત સુધી ખરીદી કરી શકાશે. જેના માટે શનિવારે રાત્રે 12 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી શુભ મૂર્હુત છે. માનવામાં આવે છે કે પુષ્ય નક્ષત્રમાં ખરીદેલી વસ્તુઓ ફળદાયી અને લાભદાયી હોય છે.
આ વર્ષે પુષ્ય નક્ષત્રની સાથે 3 યોગ
પુષ્ય નક્ષત્રનું મૂર્હુત ખાસ એટલા માટે છે કે આ દિવસે સૂર્ય અને ચંદ્રની સ્થિતિ શુભ છે. જેના દ્વારા રવિયોગ બને છે. સાથે શનિવારે પુષ્ય નક્ષત્રના સંયોગથી મિત્ર પણ રહેશે. માટે આ મૂર્હુત શુભ માનવામાં આવ્યું છે.