બાંગ્લાદેશનો ક્રિકેટર શાકિબ અલ હસન જે ભારતીય સટોડિયા વિક્રમ અગ્રવાલના કારણે મેચ ફિક્સિંગમાં ફસાઈને બે વર્ષ માટે પ્રતિબંધિત થયો એ સટોડિયો ચેન્નઈ સુપર કિંગ્સ ટીમના માલિક ગુરુનાથ મય્યપનનો ખાસ માનવામાં આવે છે. ICCના ભ્રષ્ટાચાર વિરોધી એકમે મેચ ફિક્સિંગના તાર જોડતો એક એવો અહેવાલ તૈયાર કર્ય છે, જેમાં મહેન્દ્રસિંહ ધોની અને સુરેશ રૈનાનું નામ પણ ઊછળ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ધોની અને રૈનાના સટોડિયા વિક્રમ અગ્રવાલ સાથે ઘણા સારા સંબંધ છે એટલું જ નહીં, અગ્રવાલની પત્ની અને મય્યપનની પત્ની ક્લોઝ ફ્રેન્ડ પણ છે. વિક્રમ ઘણી વાર ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ માટે ડિનર પાર્ટી આયોજિત કરી ચૂક્યો છે.
વિશ્વસનીય સૂત્રો દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે તપાસકર્તા અધિકારીઓએ એક એવું ફોન રેકોર્ડિંગ હાથ લાગ્યું છે, જેમાં દાવો કરાયો છે કે મય્યપન એવું કહી રહ્યો છે કે તેણે મહેન્દ્રસિંહ ધોનીને તા. 2 મે, 2013ના રોજ રાજસ્થાન રોયલ્સ સામે રમાનારી મેચમાં 140 રન સુધી રોકાઈ જવા અને મેચ હારી જવા માટે મનાવી લીધો છે. હાલ આ રેકોર્ડિંગને સત્તાવાર સમર્થન મળ્યું નથી. આ મામલામાં કદાચ તપાસનું નિશાન ધોની અને રૈના બની શકે છે.
બુકીએ શાકિબને સવાલ કર્યોઃ ‘બ્રો, આ સિરીઝમાં કંઈ છે?’: શાકિબ અલ હસન પર બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યા બાદ ICCએ બુકી સાથે થયેલી તેની વાતચીતને જાહેર કરી છે. દીપક અગ્રવાલ નામના બુકી સાથે થયેલી વાતચીત અંગે જણાવતા્ ICCએ કહ્યું છે કે પહેલી વાર બુકીએ શાકિબનો 2017માં સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ તે શાકિબ સાથે સતત સંપર્કમાં હતો. ICCના જણાવ્યા અનુસાર નવેમ્બર-2017માં જ્યારે બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં શાકિબ ઢાકા ડાયનામાઇટ્સ ટીમમાં હતો ત્યારે કોઈએ અગ્રવાલને શાકિબનો નંબર આપ્યો હતો.
અગ્રવાલે તા. 23 જાન્યુઆરી, 2018ના રોજ શાકિબને એક મેસેજ કર્યો હતો, ''બ્રો, આ સિરીઝમાં કંઈ છે?' શાકિબે ખુદ એ વાતની પુષ્ટિ કરી છે કે અગ્રવાલનો એ મેસેજ ત્રિકોણીય શ્રેણીની જાણકારી અંગેનો હતો, જોકે એ સમયે શાકિબે એિન્ટ કરપ્શન યુનિટ અથવા અન્ય કોઈ ઓથોરિટીને આ અંગેની જાણકારી આપી નહોતી એટલું જ નહીં, 2018માં રમાયેલી IPLમાં પણ તે સતત બુકી સાથે સંપર્કમાં હતો અને તેને અગ્રવાલ તરફથી મેસેજ મળ્યા હતા. અગ્રવાલે શાકિબને બિટકોઇન્સ, ડોલર એકાઉન્ટ્સ અંગે પણ મેસેજ કર્યા હતા.