મધ્યપ્રદેશમાં આવતીકાલે ફ્લોર ટેસ્ટને લઇને રાજકારણ ગરમાયું છે. CM કમલનાથે પત્ર લખીને PM મોદી પાસે બળવાખોર ધારાસભ્યોની સુરક્ષા માગી હતી. તો અન્ય તરફ ભાજપની કવાયત પણ શરૂ થઈ છે. પાર્ટીએ તમામ ધારાસભ્યો માટે વ્હીપ જાહેર કર્યું છે અને તમામને ફ્લોર ટેસ્ટમાં હાજર રહેવાની સૂચના આપી છે. આ સાથે જ કોંગ્રેસના પણ તમામ ધારાસભ્યો જયપુરથી ભોપાલ આવી ચૂક્યા છે. હાલમાં ફ્લોર ટેસ્ટને લઈને કોંગ્રેસની સરકાર સંકટમાં દેખાઈ રહી છે.
MPમાં ગરમાયું રાજકારણ, ભાજપે કર્યો આ આદેશ
ધારાસભ્યોની સુરક્ષાને લઈને રાજકારણ ગરમાયું
ફ્લોર ટેસ્ટને લઈને સંકટમાં છે કોંગ્રેસની સરકાર
Madhya Pradesh: Bharatiya Janata Party has issued a whip asking its MLAs to be present in the assembly tomorrow for the floor test and vote for BJP. pic.twitter.com/0MoC4XZuac
હાલમાં જ મધ્યપ્રદેશમાં ભાજપે ધારાસભ્યો માટે વ્હીપ જાહેર કર્યું છે અને સાથે જ આવતીકાલે તમામ ધારાસભ્યોને ફરજિયાત રીતે ફ્લોર ટેસ્ટમાં હાજર રહેવાની સૂચના આપી છે. તો અન્ય તરફ બળવાખોર ધારાસભ્યોની સુરક્ષાને લઈને પણ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
ધારાસભ્યોની સુરક્ષાને લઈને રાજકારણ ગરમાયું
MPમાં બળવાખોર ધારાસભ્યોની સુરક્ષાને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. બળવાખોર ધારાસભ્યોએ કેન્દ્ર સરકારને સુરક્ષાની માગ કરી છે. કમલનાથથી ધારાસભ્યોને જોખમ હોવાની રજૂઆત કરવામાં આવી છે. હાલ સિંધિયા સમર્થક 22 ધારાસભ્યો છે બેંગલુરુમાં છે. CM કમલનાથે પણ PM મોદીને પત્ર લખ્યો હતો અને સાથે જ તેમાં બળવાખોર ધારાસભ્યોની સુરક્ષા માગી હતી.
#MadhyaPradesh Congress MLAs who arrived in Bhopal from Jaipur earlier today, shift to Courtyard by Marriott hotel in Bhopal. Party's Kantilal Bhuria says, "We have more than 112 MLAs with us." pic.twitter.com/yC2ssqWKUD
મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર સંકટમાં છે. અને સોમવારે ફ્લોર ટેસ્ટ પણ થવાનો છે. ત્યારે આ સ્થિતિને લઇ ભાજપે કહ્યું કે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને જ નથી સાચવી શકતી. એક બાદ એક કોંગ્રેસમાંથી અલગ થઇ રહ્યાં છે. તો કોંગ્રેસે પણ ભાજપ પર પ્રહાર કર્યા હતા.
#MadhyaPradesh Congress MLAs who arrived in Bhopal from Jaipur earlier today, shift to Courtyard by Marriott hotel in Bhopal. Party's Kantilal Bhuria says, "We have more than 112 MLAs with us." pic.twitter.com/yC2ssqWKUD
જયપુરમાં રહેતા કોંગ્રેસના 82૨ ધારાસભ્યો (અપક્ષો સહિત) મધ્યપ્રદેશમાં રાજકીય નાટક વચ્ચે ભોપાલ પહોંચ્યા છે. આ ધારાસભ્યોને કડક સુરક્ષા હેઠળ મેરિયટ હોટલમાં લઈ જવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી કમલનાથ ધારાસભ્યોને મળવા માટે થોડી વારમાં હોટલ પહોંચી શકે છે. કોંગ્રેસના 74 ધારાસભ્યોને જયપુર મોકલવામાં આવ્યા હતા. જે હવે ભોપાલ પરત ફર્યાં છે. રાજ્યપાલે સોમવારે બહુમત પરીક્ષણ કરવા કહ્યું છે. જેને લઇ તમામ ધારાસભ્યોને ભોપાલ પરત બોલાવી લેવાયા છે. ત્યારે પરત ફરેલા કમલનાથ સમર્થક ધારાસભ્યોએ કહ્યું કે મધ્યપ્રદેશમાં કમલનાથની જ સરકાર રહેશે.