ભાજપે મોરવા હડફની પેટા ચૂંટણી માટે નિમિષા સુથારને ટિકિટ આપી છે. નિમિષા સુથાર પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. જ્યારે કોંગ્રેસે મોરવા હડફ માટે સુરેશ કટારાને ઉમેદવાર બનાવ્યા છે.
મોરવા હડફની પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવાર જાહેર
ભાજપે નિમિષા સુથારને ટિકિટ આપી
પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે નિમિષા સુથાર
મોરવા હડફની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર જાહેર કરી દીધા છે. ભાજપે નિમિષા સુથારને ટિકિટ આપી છે. નિમિષા સુથાર પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. જ્યારે કોંગ્રેસે મોરવા હડફના ઉમેદવાર સુરેશ કટારાને ઉમેદવાર બનાવ્યા છે.
ભાજપમાં 21 દાવેદારોમાંથી 4 મુખ્ય નામો પેનલમાં હતા
મોરવા હડફ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપમાં ઉમેદવારોના નામ પર ચર્ચા બાદ 21 દાવેદારોમાંથી 4 મુખ્ય નામો પેનલમાં મોખરે હતા. જેમાં રમેશ ઝાલૈયા, વિક્રમ ડીંડોરનુ નામ પેનલમાં હતા. સાથે પ્રબળ દાવેદાર નિમિષાબેન સુથાર, મણિલાલ પારગીનું નામ પણ પેનલમાં હતું. જો આ દાવેદારોના હોદાની વાત કરવામાં આવે તો, રમેશ ઝાલૈયા તાલુકા પંચાયતના ઉમપ્રમુખ છે. સરપંચ એસોસિયેશનના મહામંત્રી પણ છે.
તો બીજા દાવેદાર વિક્રમ ડીંડોર 2017માં વિધાનસભા ચૂંટણી હાર્યા હતા. આ સાથે વિક્રમ ડીંડોર અનેકવાર પક્ષપલટો કરી ચૂક્યા છે. હાલ વિક્રમ ડિંડોર જિલ્લા પંચાયતમાં ડેલીગેટ છે. નિમિષાબેન 2012ની પેટાચૂંટણીમાં ધારાસભ્ય બન્યા હતા. હાલ નિમિષાબેન જિલ્લા ભાજપના ઉપપ્રમુખ છે. હવે ભાજપના ઉમેદવાર પણ છે. સાથે મણિલાલ પારગીની વાત કરવામાં આવે તો, તેઓ નાયબ કલેકટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. મણિલાલ પારગીના પત્ની હાલ તાલુકા પંચાયતમાં ડેલીગેટ છે.
મોરવા હડફ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે પણ પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસે સુરેશ કટારાને મોરવા હડફ બેઠક પર ટીકિટ આપી છે. કોંગ્રેસે સત્તાવાર રીતે સુરેશ કટારાના નામની જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભામાં મોરવા હડફની બેઠક પર ST અનામત ઉમેદવાર જાહેર કરાશે. ત્યારે કોંગ્રેસે આ બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. 30 માર્ચનો દિવસ ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. તો 31 માર્ચના દિવસે ફોર્મની ચકાસણી કરાશે.
મોરવા હડફની બેઠક પર પેટાચૂંટણીની તારીખ
મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર થઇ ગઇ છે. આગામી 17 એપ્રિલના મતદાન યોજાશે. જ્યારે 2 મેના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર કરાશે. ભાજપમાંથી નિમિષાબેન સુથાર પ્રબળ દાવેદાર પહેલા જ હતા. જે બાદ હવે તેમનું નામ પણ જાહેર થઈ ગયું છે. મહત્વનું છે કે, મોરવા હડફના ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટ ખોટા પ્રમાણપત્રને લઇ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ખોટા પ્રમાણપત્રનો મામલો સુપ્રીમકોર્ટ સુધી પહોંચ્યો હતો. જોકે બાદમાં ભૂપેન્દ્ર ખાંટનું નિધન થયું હતું. ભૂપેન્દ્ર ખાંટનું નિધન થતા બેઠક ખાલી જાહેર કરાઇ હતી.