ગુરુવારે સાંજે 6 વાગ્યા સુધીમાં દેશમાં 47 લાખથી વધારે લોકોને રસી આપવામાં આવી છે.
દેશમાં 47 લાખથી વધારે લોકોને રસી આપવામાં આવી
બુધવારે 64 લાખથી વધારે લોકોને રસી અપાઈ હતી
રસીના 1.89 કરોડથી વધારે બાકી તથા અપ્રયુક્ત ડોઝ હજું પણ ઉપલબ્ધ
દેશમાં 47 લાખથી વધારે લોકોને રસી આપવામાં આવી
દેશમાં સતત કોરોનાથી બચવા રસીકરણની સ્પીડ વધારવામાં આવી રહી છે. ત્યારે ગુરુવારે સાંજે 6 વાગ્યા સુધીમાં દેશમાં 47 લાખથી વધારે લોકોને રસી આપવામાં આવી છે. જ્યારે બુધવારે 64 લાખથી વધારે લોકોને રસી અપાઈ હતી. આ સાથએ દેશમાં અત્યાર સુધીમાં 30,16,19,996 ડોઝ અપાયા છે. જેમાં 24,90,35,919 લોકોને પહેલો અને 5,25,84,077 લોકોને બીજો ડોઝ અપાયો છે. હાલ દેશના 55, 275 કેન્દ્રો પર રસીકરણ જારી છે.
સરકાર પાર્દર્શિક રીતથી રાજ્યોને રસી વહેંચી રહી છે
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે સરકાર પાર્દર્શિક રીતથી રાજ્યોને રસી વહેંચી રહી છે. રાજ્યોમાં ખપત, ઉપલબ્ધિ ડોઝની સાથે સાથે અન્ય જાણકારી પણ અપાઈ રહી છે. સપ્લાય અંગે નિયમિત જાણકારી આપવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યુ છે કે રાજ્યની જનસંખ્યા, શક્ય બિમારીઓ તેમજ અન્ય ભારણને ધ્યાનમાં રાખીને રાજ્યોને રસી પુરી પાડવામાં આવી રહી છે.
રસીના 1.89 કરોડથી વધારે બાકી તથા અપ્રયુક્ત ડોઝ હજું પણ ઉપલબ્ધ
રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પાસે કોવિડ 19 રસીના 1.89 કરોડથી વધારે બાકી તથા અપ્રયુક્ત ડોઝ હજું પણ ઉપલબ્ધ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે રાષ્ટ્રીય કોરોના રસીકરણ કાર્યક્રમના નવા સંશોધિત દિશા નિર્દેશો પર અમલ પહેલા 72 કલાકમાં રસીના 2 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
30 કરોડથી વધારે ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા
કેન્દ્રએ ભારત સરકાર અને રાજ્યો દ્વારા સીધી ખરીદીની શ્રેણીના માધ્યમથી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અત્યાર સુધી 30 કરોડથી વધારે (30,33,27,440) ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
21, 05, 010થી વધારે ડોઝ આવનારા 3 દિવસમાં મળી જશે
મંત્રાલયે જણાવ્યું કે ગુરુવારે સવારે 8 વાગે ઉપલબ્ધ આંકડા અનુસાર તેમાં વેસ્ટ ગયેલા ડોઝ સહિત 28,43,40,936નો ઉપયોગ થયો છે. 1.89 કરોડથી વધારે (1,89,86,504) બાકી તથા અપ્રયુક્ત કોરોનાની રસીના ડોઝ હજું પણ આપવા માટે રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોની પાસે ઉપલબ્ધ છે. મંત્રાલયે કહ્યું કે આ ઉપરાંતના 21, 05, 010થી વધારે ડોઝ મોકલવાના બાકી છે અને આ આવનારા 3 દિવસમાં મળી જશે.