પંજાબમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકનો મામલે કથાકાર મોરારિબાપુ સંદેશ પાઠવ્યો છે. કહ્યું છે કે પંજાબમાં બનેલી ઘટનાથી પીડા અનુભવુ છું. દેશના પ્રધાનમંત્રી સાથે જે વ્યવહાર થયો તે અપ્રિય છે.
કથાકાર મોરારિબાપુનો સંદેશ
કથાકાર મોરારિબાપુએ PM મોદીની સુરક્ષાની ચિંતા કરતાં કહ્યું હતું કે દેશ અને દુનિયામાં વરિષ્ઠ રાજપુરુષ અને ભારત વર્ષના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી.. જય સિયારામ પંજાબમાં બનેલી આ ઘટનાથી પીડા અનુભવું છું પરમાત્મા સૌને સદબુદ્ધિ આપે. આપ આપણા દેશના પ્રધાનમંત્રી છો અને સાથે આ વ્યવહાર થયો એ ખુબ જ અપ્રિય ઘટના છે. ખેર પરમાત્મા આપને રાષ્ટ્રની અને દુનિયાની સેવા માટે વધુ ને વધુ શક્તિ બળ તદુરસ્તી અપર્ણ કરે. એવી હનુમાનજીના ચરણોમાં મારી અંત:કરણ પૂર્વકની પ્રાર્થના. મારી રામકથાની વ્યાસપીઠ સાથે જોડાયેલા સૌ ભાઈ બહેનોની પ્રાર્થના..!
પ્રદર્શનકારો સાથે પોલીસ ચા પી રહી હતી?
સુપ્રિમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા છે. કે પ્રદર્શનકારો સાથે પોલીસ ચા પી રહી હતી. બીજી તરફ પંજાબના એડવોકેટ જનરલ ડીએસ પટવાલિયાનું કહેવું છે કે ઘટના બની ત્યારબાદ અમે તુરંત FIR દાખલ કરી હતી. તેમ છતા પણ કેન્દ્ર સરકાર અમારી પર સાવાલો ઉઠાવી રહી છે. પંજાબ સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નિવૃત્ત જસ્ટિસ મહતાબ સિંહ ગિલ અને ગૃહ અને કાયદા બાબતોના મુખ્ય સચિવ અનુરાગ વર્મા વડા પ્રધાનની સુરક્ષામાં આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ તે અંગે સંપૂર્ણ તપાસ કરશે. હુસૈનીવાલા જતી વખતે પીએમ મોદીનો કાફલો વિરોધીઓ વચ્ચે અટવાઈ જવાની ઘટનાને લઈને રાજકીય ખળભળાટ મચી ગયો હતો. ભાજપે કોંગ્રેસ પર પીએમ મોદીના જીવને જોખમમાં નાખવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે.
શું છે મામલો ?
પંજાબ પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં બુધવારે ગંભીર ચૂકની ઘટના બની હતી. પ્રધાનમંત્રી મોદીનો કાફલો જ્યારે ફિરોજપુરથી 30 કિમી દૂર હતો ત્યારે પ્રદર્શનકારીઓએ રસ્તાને બ્લોક કરી નાખ્યો હતો, આને કારણે પ્રધાનમંત્રી મોદીને લગભગ 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાઈ રહેવું પડ્યું હતું. આ પછી પ્રધાનમંત્રીએ ફિરોજપુરની રેલી રદ કરી નાખી હતી અને દિલ્હી પાછા આવી ગયા હતા.