પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે દેશના મુખ્યમંત્રીઓ તથા કેન્દ્રીય મંત્રીઓની સાથે નીતિ આયોગની બેઠક કરવામાં આવી હતી.
નીતિ આયોગની બેઠકમાં PM મોદીનું સંબોધન
ઘણા રાજ્યોમાં તેજગતિથી વિકાસનું કામ થઇ રહ્યું છેઃ PM
કેન્દ્ર અને રાજ્યો સાથે મળીને કામ કરે: PM
પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે નીતિ આયોગની છઠ્ઠી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક કરવામાં આવી હતી જેમાં તેમણે કહ્યું હતું કે કોરોનાકાળમાં કેન્દ્ર અને રાજ્યએ સાથે મળીને કામ કર્યું અને દેશ સફળ થયો. દુનિયામાં ભારતની એક સારી છવિનું નિર્માણ થયું છે.
'મૂડ ઓફ ધ નેશન' શું છે, ખબર પડી ગઈ છે : મોદી
પીએમ મોદીએ બજેટનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ વર્ષે બજેટ પર જે રીતે સકારાત્મક પ્રતિક્રિયાઓ આવી છે તેના પરથી મૂડ ઓફ ધ નેશન શું છે તે ખબર પડી ગઈ છે. દેશ તેજીથી આગળ વધવા માંગે છે અને દેશના મનને બનાવવામાં દેશનું યુવાધન ખૂબ મોટી ભૂમિકા અદા કરે છે.
આત્મનિર્ભર ભારતના ભારોભાર વખાણ
આત્મનિર્ભર ભારત વિશે તેમણે કહ્યું કે આ અભિયાન એક એવા ભારતનું નિર્માણ કરશે જે પોતાની આવશ્યક્તાઓ તો પૂર્ણ કરશે જ અને સાથે સાથે વિશ્વ માટે પણ ઉત્પાદન કરશે.
પાણી અને આવાસ મુદ્દે સરકારની પીઠ થાબડી
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે વર્ષ 2014 બાદથી ગામડા અને શહેરોમાં કુઓળ 2 કરોડ 40 લાખથી વધારે ઘરોનું નિર્માણ કરવામાં આવ્યું છે અને દેશના 6 શહેરોમાં આધુનિક ટેકનોલોજીથી ઘર બનાવવાનું કામ ચાલી રહ્યું છે. એક જ મહિનામાં આ ઘર તૈયાર થઈ જશે. પીએમ મોદીએ કહ્યું કે પાણીની અછત અને પ્રદૂષિત પાણીના કારણે થઈ રહેલી બીમારી લોકોના વિકાસમાં બાધા ન બને તે માટે મિશન મોડમાં કામ કરવામાં આવી રહ્યું છે. જળ મિશન બાદ સાડા ત્રણ કરોડથી વધારે ગ્રામીણ ઘરોમાં પાઇપ વોટર સપ્લાય આપવામાં આવ્યું છે.