ભારતીય હવામાન વિભાગથી ઉલટ પ્રાઇવેટ સેક્ટરની કંપની સ્કાઇમેટ વેધર સર્વિસેઝનું કહેવું છે કે આ વર્ષે વરસાદ સામાન્યથી ઓછો રહેશે. સ્કાઇમેટના પૂર્વાનુમાનો પ્રમાણએ આ વર્ષે ચોમાસુ પર અલનીનોની અસર પડી શકે છે.
આ વર્ષે મોનસૂન સામાન્યનું 93 ટકા રહી શકે છે. રિપોર્ટ પ્રમાણે 4 જૂને કેરળ પહોંચી શકે છે. આ પહેલા 22 મે મોનસૂન અંડમાન નિકોબાર પહોંચશે. તમને જણાવી દઇએ કે આ પહેલા ભારતના હવામાન વિભાગે કહ્યું હતું કે અલનીનોની સ્થિતિ નબળી બનેલી છે. એની આગળ વધવાની શક્યતા ખૂબ ઓછી નજરે આવી રહી છે. આવતા થોડા મહિનામાં એ વધારે નબળું પડી શકે છે. જો આવું થાય છે તો દેશના ખેડૂતો માટે મોટી ખુશખબરી છે, કારણ કે વરસાદની સીધી અસર ગ્રામીણ અર્થવ્યવસ્થા પર પડે છે.
ક્યાં વધારે અને ક્યાં ઓછો પડશે વરસાદ
સ્કાઇમેટ પ્રમાણે આ વર્ષે બંગાળ, બિહાર, ઝારખંડમાં વરસાદ ઓછો પડશે.
પૂર્વ ભારતમાં સામાન્યની સરખામણીએ 92 ટકા વરસાદ પડવાનું અનુમાન છે.
રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને પંજાબમાં સારો વરસાદનું અનુમાન જણાવાઇ રહ્યું છે. મધ્યભારતમાં મોનસૂન સામાન્યથી 50 ટકા ઓછું રહી શકે છે.
શું હોય છે અલનીનો
અલનીનોના કારણે દરિયાની હવાઓનું વલણ બદલાઇ જાય છે. એની અસર એવી થાય છે વધારે વરસાદ વાળા ક્ષેત્રોમાં વરસાદ પડતો નથી અને એની ઉલટ જે વિસ્તારમાં વરસાદ પડતો નથી, ત્યાં મૂશળધાર વરસાદ થાય છે.
મોનસૂનની સીધી અસર ગ્રામીણ આબાદી પર પડે છે. મોનસૂન સામાન્ય અને સારું રહેવાથી ગ્રામીણ વિસ્તારોમાં લોકોની આવક વધે છે, જેનાથી માંગ પણ વધે છે. ગ્રામીણ વિસ્તારોમાં આવક વધવાથી ઇન્ડસ્ટ્રીને પણ ફાયદો મળે છે. તો બીજી બાજુ નબળું રહેવા પર એની ઉલટી અસર પડે છે.
1951-2000ની વાત કરીએ તો દેશમાં વરસાદનો લૉન્ગ પીરિયડ એવરેજ 89cm રહ્યો છે. આ પહેલા મોસમ માટે જાણકારી આપનારી ખાનગી એજન્સી સ્કાઇમેટનું અનુમાન આપ્યું છે કે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સિઝનમાં સામાન્યની 93 ટકા વરસાદ થશે. જો કે એજન્સીઓ એવું માનીને ચાલે છે કે એમાં થોડો ફેરફાર થઇ શકે છે. 5 ટકા વધારે કે ઓછો થઇ શકે છે.